________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || || નમોનમઃ શ્રી ગુરુરામચંદ્રસૂર // અજ્ઞાનમાં અટવાયેલા મુક્તિમાર્ગના મુસાફરને સન્માર્ગનું દર્શન કરાવતું... સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અને સર્વતોમુખી પ્રચાર પ્રભાવ માટે કટિબદ્ધ ન શાસનના મહાન જ્યોતિર્ધર, પરમાર્થ પ્રવાચક, વ્યાખ્યાને વાચસ્પતિ, સુવિશાળ છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદ પામી સ્થપાયેલ સન્માર્ગ પ્રકાશને પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ અનેક ગ્રંથો પ્રકાશિત કરી સન્માર્ગનું વહેણ વહેતું કર્યું. ટૂંક જ સમયમાં અનેક સંસ્કૃત-પ્રાકૃત-ગ્રંથો ઉપરાંત ગુજરાતી-હિંદી અને અંગ્રેજીમાં પણ વિવિધ ગ્રંથો ધ કાશિત કરવામાં અમે સુસફળ બન્યા. | દાતાઓનો ઉલ્લાસભર્યો સહકાર અને વાચકોના વિસ્તૃત પ્રતિસાદ અમારા માટે આ શુભ કાર્યમાં પ્રેરણાના સાત બન્યો છે. પ્રશાંતમૂતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાનું વાત્સલ્યભર્યું આજ્ઞાશાસન અમન જૈનશાસન લક્ષી સાહિત્યના પ્રકાશનમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. ‘સૂરિરામ' ના આજીવન અંતેવાસી તપસ્વીરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની કૃપા અને ‘સૂરિરામ'ની સિદ્ધનિશ્રાનાં 25-25 વર્ષ સુધી સવગિણ યોગ્યતા પામી તેઓશ્રીમની વિદ્યમાનતામાં અનેકાનેક ગ્રંથોનું સફળ સંપાદન કરી તેઓશ્રીની કૃપા પ્રાપ્ત કરનાર પ્રવચન પ્રભાવક પૂજય સંપાદન કરવા ઉપરાંત ગ્રંથ પ્રકાશન સંબંધી જરૂરી માર્ગદર્શન આપવાની અમારી વિનંતિ સ્વીકારી એ અંગે અમને નિશ્ચિત કર્યા છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. - સંમાર્ગ પ્રકાશન