________________ પરિશિષ્ટ-૨૦ પ્રકીર્ણ અવતરણો (1) દેવકૃત અતિશયોમાં શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં આપેલ અન્ય વાચનાના મૂલપાઠમાં એક નવો જ અતિશય પ્રાપ્ત થાય છે. તે આ રીતે -- कालागुरुपवरकुन्दुरुक्कतुरुक्कधूवमघमघंतगन्धुद्धयाभिरामे भवइ / ' વિહાર વગેરેમાં ભગવંત જ્યાં બેસે તે સ્થાન અને સંપૂર્ણ સમવસરણનું વાતાવરણ કાલાગુરુ, કુન્દરુક્ક (ચીડા), તુરુક (શિલ્પક) વગેરે નામના ઊંચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપના મઘમઘતા પ્રચુર સુગંધ વડે અત્યંત અભિરામ (રમણીય) કરાય છે. (2) सिंहासणो निसण्णो रत्तासोगस्स हे?तो भगवं / सक्को सहेमजालं सयमेव य गेण्हते छत्तं / / 1985 / / दो होन्ति चामराओ सेताओ मणिमएहिं दण्डेहिं / ईसाणचमरसहिता घरेति ते णातवच्छस्स / / 1986 / / - વિશેષાવશ્યક ભાષ્ય ભા. 1, પૃ. 341. લાલવર્ણના અશોક વૃક્ષ નીચે સિંહાસન પર ભગવાન વર્ધમાન સ્વામી (જ્ઞાતવત્સજ્ઞાતપુત્ર) બેઠા. શક્રેન્દ્ર પોતે ભગવંત પર સુવર્ણની તારોની જાળીવાળું (તોરણવાળું) છત્ર ધારણ કરે છે. ઇશાનંદ્ર અને ચમરેંદ્ર (થી સહિત દેવો) મણિમય દંડવાળા બે શ્વેત ચામરો ધારણ કરે છે. (3) यथा निशीथचूर्णो भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रबाह्यलक्षणसंख्याया उपलक्षणत्वेनान्तरंग-लक्षणानां सत्त्वादीनामानन्त्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् / જેવી રીતે શ્રી નિશીથચૂર્ણિમાં શ્રી અરિહંત ભગવંતોના 1008 બાહ્ય લક્ષણોને ઉપલક્ષણ કહીને સત્ત્વ વગેરે અંતરંગ લક્ષણોને અનંત કહ્યા છે, એવી જ રીતે 1. સૂત્ર ચોત્રીસની ટીકામાં આપેલ અન્યવાચનામાં અતિશય-૧૯. અરિહંતના અતિશયો 265