________________ શ્રી મલ્લિનાથ અને પાર્શ્વનાથના લીલવર્ણના ધ્યાનથી આ લોકમાં સર્વ પ્રકારના લાભ થાય છે અને સર્વ ભયો દૂર થાય છે. શ્રી મુનિસુવ્રત અને નેમિનાથના અંજન સમાન શ્યામવર્ણના ધ્યાનના પ્રભાવથી શાસન પ્રભાવક મહાન આચાર્યો શાસનના વિદ્રોહીઓનું ઉચ્ચાટન આદિ કરી શકે છે. મંત્રશાસ્ત્રની દષ્ટિએ પીતવર્ણનું ધ્યાન સ્તંભન, રક્તવર્ણનું ધ્યાન વશીકરણ, શ્યામવર્ણનું ધ્યાન પાપીઓનું ઉચ્ચાટન વગેરે, લીલાવર્ણનું ધ્યાન ઇહલૌકિક લાભ અને શ્વેતવર્ણનું ધ્યાન શાંતિ અને કર્મક્ષયને કરનાર છે. અરિહંતના અતિશયો