________________ ભગવંત હોય, તેમ ધર્મને ઉપદેશતા ભગવંતનાં ચાર રૂપ થઈ ગયાં છે ! 44. તે વખતે સુર-અસુર-મનુષ્ય-નાગકુમારો વડે ભક્તિપૂર્વક વંદાઈ રહ્યા છે પદકમલ જેમના, એવા ભગવાન ઉદયાચલના શિખર પર સૂર્યની જેમ, સિંહાસન પર અધિષ્ઠિત થાય છે. ૪પ. તે વખતે સર્વ દિગ્વલયને પોતાના તેજની રાશિના વિસ્તાર વડે પ્રકાશિત કરતા એવા તે ભગવંતની આગળ શૈલોક્યચક્રવર્તિત્વના ચિહ્નરૂપ ધર્મચક્ર હોય છે. 46. ભગવંતની પાસે સમવસરણમાં જઘન્યથી એક કરોડ ભવનપતિ-વૈમાનિક-જ્યોતિષીવ્યંતર દેવતાઓ હોય છે. 47. અરિહંતના અતિશયો 227