________________ પઉમચરિયું (ભગવંતના અતિશયો) રુધિર - (રક્ત) દૂધ જેવું શ્વેત છે.' દેહ - મેલ અને પરસેવાથી રહિત, સુગંધવાળો, સર્વ ઉત્તમ લક્ષણો અને ગુણવાળો, સૂર્ય સમાન તેજસ્વી અને અતિ નિર્મલ છે. આંખો - નિર્નિમેષ (સ્પંદ-પલક રહિત) છે. નખો અને વાળ - અવસ્થિત અને સ્નિગ્ધ છે. ચારે બાજુનો સો યોજન સુધીનો પ્રદેશ-મારી વગેરે રોગો - ઉપદ્રવોથી રહિત છે. સહસ્ત્રદલ કમળો - જ્યાં ભગવંત પગ મૂકે છે, ત્યાં પગ નીચે નિર્મિત થાય છે. વૃક્ષો - ફળોના ભારથી નમેલ છે. પૃથ્વી - ધાન્યથી પરિપૂર્ણ છે. ભૂમિ - દર્પણ જેવી સ્વચ્છ થઈ જાય છે. વાણી - અર્ધમાગધી છે. દિશાઓ - શરદઋતુની જેમ રજ અને રેણુથી રહિત છે. રત્નખચિત સિંહાસન - જ્યાં ભગવાન બેસે છે, ત્યાં ગોઠવાઈ જાય છે. દુભિ - એક યોજન સુધી મનોહર ઘોષ કરે છે. પુષ્પવૃષ્ટિ - દેવતાઓ કરે છે. આ રતિ અષ્ટ મહાપ્રાતિહાયાર્થે પારકારત યુક્ત ત મુનિવૃષભ જિનેન્દ્ર-દિવાકર ભવ્ય જનરૂપ કમળોને વિકસાવતા વિહરે છે. 1. અહીંથી શરૂ થતી વાક્ય-રચનામાં જે વસ્તુ મુખ્ય છે, તેનું નામ પ્રથમ લખેલ છે. અરિહંતના અતિશયો 2 37