Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan
View full book text
________________ પરિશિષ્ટ-૧૬) અતિશયો અને પ્રાતિહાર્યોના વર્ણનથી ગર્ભિત પ્રાચીન સ્તવનો, સ્તુતિઓ વગેરે. અંતમાં મોટા ટાઈપમાં છાપેલ નામો કર્તાનાં જાણવાં. દેવવંદનમાલા શ્રી ઋષભજિન સ્તવન (સહજાતિશયો) પ્રથમ જિનેશ્વર પ્રણમિય, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઇન્દ્રાણી નયન જે ભૃગ પર લપટાય. 1 રોગ ઉરગ તુજ નવિ વડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહમાનું કોઈ નવિ કરે, જગમાં તુમશું વાદ. 2 વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે, તારું ધ્યાન. 3 રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી; દૂધ સહોદર હોય. 4 શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નીહાર, ચરમ ચક્ષુ ઘણી; એહવા તુજ અવદાત. 5 ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ, કર્મ ખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા; સમવાયાંગે પ્રસિદ્ધ. 6 જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્રવિજય કહે એહ સમય, પ્રભુ પાલજો, જિમ થાઉં અક્ષય અભંગ. 7 1. પૃ. 71, 94, 102, 105, 270, 138. અરિહંતના અતિશયો 249

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294