________________ પરિશિષ્ટ-૧૬) અતિશયો અને પ્રાતિહાર્યોના વર્ણનથી ગર્ભિત પ્રાચીન સ્તવનો, સ્તુતિઓ વગેરે. અંતમાં મોટા ટાઈપમાં છાપેલ નામો કર્તાનાં જાણવાં. દેવવંદનમાલા શ્રી ઋષભજિન સ્તવન (સહજાતિશયો) પ્રથમ જિનેશ્વર પ્રણમિય, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, ઇન્દ્રાણી નયન જે ભૃગ પર લપટાય. 1 રોગ ઉરગ તુજ નવિ વડે, અમૃત જે આસ્વાદ, તેહથી પ્રતિહત તેહમાનું કોઈ નવિ કરે, જગમાં તુમશું વાદ. 2 વગર ધોઈ તુજ નિરમલી, કાયા કંચન વાન; નહિ પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે, તારું ધ્યાન. 3 રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી; દૂધ સહોદર હોય. 4 શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નીહાર, ચરમ ચક્ષુ ઘણી; એહવા તુજ અવદાત. 5 ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ, કર્મ ખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા; સમવાયાંગે પ્રસિદ્ધ. 6 જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્રવિજય કહે એહ સમય, પ્રભુ પાલજો, જિમ થાઉં અક્ષય અભંગ. 7 1. પૃ. 71, 94, 102, 105, 270, 138. અરિહંતના અતિશયો 249