________________ અને અકાલ મૃત્યુ થતા નથી. 8. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કોહી જાય. 9. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળનો અભાવ થતો નથી. તેટલા સ્થળે દુભિક્ષદુષ્કાળ પડતો નથી. 10. પોતાના રાજ્યના લશ્કરનો ભય (હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે યુદ્ધ વગેરે થવાનો ભય ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે કર્મક્ષયજન્ય 10 અતિશયો જાણવા. હવે દેવતાઓએ કરેલા ગણીશ અતિશયો આ પ્રમાણે છે : પ્રભુ વિચરતા હોય ત્યારે આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મનો પ્રકાશ કરનાર ધર્મચક્ર આગળ ચાલે. આકાશમાં શ્વેત ચામર બન્ને બાજુ ચાલે. આકાશમાં નિર્મલ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. 4. આકાશમાં ભગવાનના મસ્તક પર ત્રણ છત્ર રહે. 5. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટા હોવાથી તે ઇન્દ્રધ્વજ પણ કહેવાય છે. આ પાંચે અતિશયો જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે. એટલે કે - ધર્મચક્ર તથા ધર્મધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વીંઝાય છે અને છત્રો મસ્તક પર રહે છે. 6. માખણ જેવાં કોમળ, સુવર્ણનાં નવ કમલો દેવો રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવંત પોતાના બે પગ રાખીને ચાલે છે. બાકીનાં સાત કમળો ભગવાનની પાછળ રહે છે. તેમાંથી બે બે કમળો ક્રમસર ભગવાનની આગળ આવ્યા કરે છે. 7. તીર્થકરના સમવસરણ વખતે મણિનો, સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંના મવાનની પાસેનો પહેલો ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારનાં રત્નોનો વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજા એટલે મધ્ય પ્રાકાર સુવર્ણનો જ્યોતિષી દેવો બનાવે છે અને ત્રીજો એટલે બહારની પ્રાકાર રૂપાન ભવનપતિ દેવતાઓ રચે છે. 8. તીર્થંકર ભગવંત જ્યારે સમવસરણમાં સિંહાસન પર બિરાજે છે, ત્યારે તેઓનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. 230 અરિહંતના અતિશયો