Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ જાનુ પ્રમાણ પુષ્યાના સમૂહ ઉપર મુનિગણ વગેરે જનસમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈ પણ બાધા થતી નથી, એટલું જ નહીં કિન્તુ જાણે અમૃતરસથી સિંચન કરાતાં હોય તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલ્લાસ (વિકાસ) પામતાં જાય છે, કેમકે અનુપમ એવા તીર્થકરોનો પ્રભાવ અચિંત્ય છે.' 17 તીર્થકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે). 18. તીર્થકરોના સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચારે નિકાયના દેવો રહે છે. 19. જિનેશ્વર ભગવંત જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુઓનાં મનોહર પુષ્પફળાદિકની સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂલ વતે છે. આ પ્રમાણે તીર્થ કરના સર્વે મળીને ચોત્રીશ અતિશયોનું વર્ણન જાણવું. આ અતિશયોમાં કોઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે, તે મતાંતર જાણવું મતાંતરનું કારણ તો ભગવાન સર્વજ્ઞ જ જાણે. મૂળ શ્લોકમાં ગતિશયન્વિતમ્' અતિશયોએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશયોવાળા વિશ્વસેન રાજાના કુલમાં તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી શક્તિ (છીપ)ને વિષે મુક્તાફળ (મોતી) સમાન સોળમાં તીર્થકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે મન-વચન-કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસારે આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ રચું છું. અરિહંતના અતિશયો 2 33

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294