________________ પરિશિષ્ટ-કા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર ગુજરાતી ભાષાંતર (34 અતિશયો) પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. (ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન). વિશ્લોપકારી શ્રી ઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણમુખ, કબૂટ, પાન, મંડબ, આશ્રમ અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહારસમયમાં પોતાની ચારે દિશાએ સવાસો યોજન સુધી લોકોના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગતના જીવોને શાંતિ પમાડતા હતા. રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ ઉંદર, પોપટ વગેરે ધાન્યને ઉપદ્રવ કરનારા જીવોની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા. અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનું નૈમિત્તિક અને શાશ્વત વૈર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા. પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લોકસમૂહને આનંદ પમાડ્યા હતો તેમ હાલ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા. ઔષધ અજીર્ણ અને અતિ સુધાનો નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનો નાશ કરતા હતા. અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમનો આગમન ઉત્સવ કરતા હતા. માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે છે તેમ સંહારકારક ઘોર દુભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લોકો સ્તુતિ કરતા હતા. જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને 1. પર્વ 1-2, સર્ગ-૬, પૃ. 204-5. જે. સા. વિ. મંડળ, વિલે પારલે, મુંબઈના પુ. નં. ૧૨૩૯નો અહીં ઉપયોગ કરેલ છે. 228 અરિહંતના અતિશયો