________________ સ્વામિનું ! આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ-સફળ છે, પણ મિથ્યામતિવાળા જે જીવો આપને નમતા નથી તેઓનું મસ્તક વ્યર્થ છે. દેવકૃત ચતુર્દશ અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું. - ૧ણે સ્વામિન્ ! ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી એક કોડાકોડી-કરોડ ગુણ્યા કરોડની સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત હોય છે. અહીં અર્થાન્તરન્યાસ અલંકાર વડે કવિઓ પ્રભુની સ્તુતિ કરે છે કે - હે સ્વામિન્ ! અગણિત પુણ્યપ્રચયથી પ્રાપ્ત થતા પ્રયોજનને વિશે મંદ બુદ્ધિવાળા જનો પણ ઉદાસીનપ્રયત્નશૂન્ય હોતા નથી. તો પછી વિવેકશીલ દેવતાઓ ક્યાંથી ઉદાસીન હોય ? આ રીતે અહીં દેવકૃત ચદ અતિશયોનું વર્ણન પૂરું થયું. શેષ પાંચ દેવકૃત અતિશયોનું વર્ણન અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં કરવામાં આવેલ છે. તે શેષ દેવકૃત અતિશયો આ રીતે છે : 15. અશોક વૃક્ષ - પ્રથમ પ્રાતિહાર્ય 16. ચામર -- ચતુર્થ પ્રાતિહાર્ય 17. સિંહાસન - પંચમ પ્રાતિહાર્ય 18. દુંદુભિ - સપ્તમ પ્રાતિહાર્ય 19. છત્રત્રય - અષ્ટમ પ્રાતિહાર્ય બાકીના ત્રણ પ્રાતિહાર્ય પૂર્વે કરેલ વર્ણનમાં આવી જાય છે. 1. શ્લો. 14. 2. सुरकृतातिशयैकोनविंशतिमध्ये चतुर्दश व्याख्याय शेषाः पञ्चप्रातिहार्यान्तभूति अतस्तान्येवाहुः / - વી. સ્તો. પ્ર. 5, શ્લો. 1 અવસૂરિ અરિહંતના અતિશયો 207