________________ થઈ જાય છે. કાંટાની અને દુર્જનોની એ અધોમુખતા જાતાં એવું લાગે છે કે કપાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જના પોતાનું મુખ આપને બતાવી શકતા ન હોવાથી જાણે અધોમુખ ન થયા હોય અને પાતાલમાં ઉ. અદશ્ય થઈ જવા માગતા ન હોય ! હ દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુર્જનોનાં સર્વ પાપાન સાક્ષાત માં છે. તેથી આપની આગળ આવતાં દુર્જનોને શરમ લાગે છે. તેથી જ જાણે તેનું મુખ નીચું થયું ન હોય ! હે નાથ ! પ્રખર તેજવાળા સૂર્યની સામે અંધકારના સમૂહ અથવા ઘુવડ, આદિ પક્ષીમાં કેવી રીતે આવી શકે ? દેવકૃત સપ્તમ અતિશય કેશ, રોમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી અવસ્થિતતા હ' સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિનું ! એ સાચું છે કે આપના શાસનથી અન્ય બૌદ્ધાદિ શાસનના સ્થાપકો અસર્વજ્ઞ હોવાથી આપના જેવા કેવલજ્ઞાનાદિ આંતરિક યોગહિમા તો નથી જ પામી શક્યા, કિન્તુ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતારૂપ બાહ્ય યોગમહિમાને પણ પામી શક્યા નથી. હે દેવ ! આપ જ્યારથી સર્વ વિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર) કરો છો ત્યારથી જ આપના કેશ, રામ, નખ, દાઢી અને મૂછ સદા એ કસરખાં રહે છે. તે વધતાં પા થી ઘટતાં પણ નથી. હે દેવાધિદેવ ! આપની સર્વવિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઇન્દ્રથી પ્રેરિત વજ વડે આપના નખાદિની ઉગમશક્તિ પ્રતિત થઈ જાય છે. તેથી તેઓ વૃદ્ધિ કે હાનિ પામતા નથી. હે નાથ ! કશ આદિન વ્યવસ્થિત રાખવા એ કર્મ ખરી રીતે ચાકરાનું છે, પણ ભક્તિવશ અતિ નમ્ર બનેલા ઇન્દ્ર એ કર્મનું આચરણ કરે છે. હે નાથ ! દેવતાઓ પણ જેન સ્વામી માને છે, એવા ઇન્દ્રો પણ આ રીતે અતિ વિનમ્ર દાસ ભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે, એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ? હે અહંનું ! બીજા શાસનના અધિપતિ તો કશ, રામ, નખ, દાઢી અને મૂછની વૃદ્ધિથી કર્થિત છે. આપના જેવો આ બાહ્ય યોગમહિમા પણ તેની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક યોગ મહિમાથી તેઓ દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. હે સર્વાધિક પ્રભાવશાળી ભગવદ્ ! દેવતાઓના સ્વામી ઇદ્રો પણ આપના ચાર બની જાય, જ આપનો મહાન યોગમહિમા છે. 1, લા. 7. 2. આ રીત આ અતિશય ઇ-પ્રેરિત હોવાથી એની ગણના દેવકૃત અતિશયામાં થાય છે. અરિહંતના અતિશયો Pop