________________ આ ન્યગ્રોધ આદિ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો તે તે શ્રી ઋષભાદિ અરિહંતોના અશોક વૃક્ષ ઉપર રહેલા જાણવા. તિલોયપત્તિમાં કહ્યું છે કે આ અશોક વૃક્ષ લટકતી માળાઓથી સહિત, ઘંટાઓના સમૂહોથી રમણીય, પલ્લવો, પુષ્પો વગેરેથી નમી ગયેલી શાખાઓથી શોભે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - સમવસરણની મધ્યપીઠની મધ્યમાં ઉત્તમ અશોક વૃક્ષ હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીરંધ્ર-ગાઢ હોય છે. અશોક વૃક્ષની નીચેથી કોઈ ઉપર જુએ તો તેને આકાશ જરા પણ ન દેખાય, સર્વત્ર ઝાડનાં પાંદડાં વગેરે જ દેખાય. તેની નીચે બેસનારને સૂર્યનો તડકો જરા પણ ન લાગે. તે એક યોજન જેટલો વિસ્તૃત (ફેલાયેલો) હોય છે. તેની ઉપર સર્વત્ર પતાકાઓ, તોરણો વગેરે હોય છે. તે વેદિકાથી સહિત હોય છે. તેમ જ તેના ઉપર ભગવંતના મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર ગોઠવાયેલાં હોય છે. તેની ઉપર સર્વત્ર સર્વકાળમાં ઋતુ હોય છે એટલે કે પુષ્પો વગેરે હોય છે. તે વૃક્ષની ઉપર ભગવંતનું જ્ઞાનોત્પત્તિ-વૃક્ષ હોય છે, તે ચૈત્યવૃક્ષ દેવતાઓથી પૂજિત હોય છે. તે અશોક વૃક્ષના મૂલ પાસે અરિહંતોનો દેવછંદો (દેશના વખતે બેસવાનું સ્થાન) હોય છે, ત્યાં ચાર દિશાઓમાં ચાર સિંહાસન હોય છે. જગતમાં સૌથી સુંદર વૃક્ષો ઇન્દ્રનાં ઉદ્યાનોમાં હોય છે. તે સુંદર વૃક્ષો કરતાં પણ આ અશોક વૃક્ષ અનંતગુણ સુંદર હોય છે. આ અશોક વૃક્ષને બનાવનાર દેવતાઓ હોય છે, છતાં તેમાં સૌંદર્ય આદિ ગુણોની જે પરાકાષ્ઠા આવે છે, તે ભગવંતનો અતિશય છે. 1. ઋષભદેવ ભગવંતને ન્યોધવૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. શ્રી ઋષભાદિ 24 તીર્થકરોના ચૈત્યવૃક્ષોનાં નામો અનુક્રમે આ રીતે છે - 1. ન્યગ્રોધ, 2. સપ્તપર્ણ, 3. સાલ, 4. પ્રિયક, 5. પ્રિયંગુ, ક. છત્રાધ, 7, સરિસ, 8. નાગવૃક્ષ, 9. માલીક, 10. પીલધુ, 11. હિંદુગ, 12. પાડલ, 13, જંબૂ, 14. અશ્વત્થ, 15. દધિપર્ણ, 16. નંદી, 17. તિલક, 18. અંબ, 19. અશોક, 20. ચંપક, 21. બકુલ, 22. વેડસ(તસ), 23. ધવ અને 24. સાલ. - લોક. પ્ર. સ. 30, પૃ. 263. 2. ચતુર્થ મહાધિકાર 3. લોક. પ્ર. સ. 30, પૃ. 264. 4. असुरसुरगरुलमहिया चेइयरूक्खा जिणवराणं / શ્રી જિનવરોનાં ચૈત્યવૃક્ષો અસુરો, સુરો અને ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે. - લોક. પ્ર. સ. 30, પૃ. 293. 5. તિસ્તોયYouત (ચતુર્થ મહાધિકાર)માં કહ્યું છે કે - આ અશોક વૃક્ષને જોઈને ઇન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉદ્યાનોમાં રમતું નથી. 14 અરિહંતના અતિશયો