________________ બતાવવામાં આવી છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે -- उसभस्स तिन्नि गाउ य, बत्तीस धणूणि वद्धमाणस्स / सेसजिणाणमसोओ सरीरओ बारसगुणो उ' / શ્રી ઋષભદેવ ભગવંતનો અશોક વૃક્ષ 3 ગાઉ ઊંચો, શ્રી વર્ધમાન સ્વામીનો 32 ધનુષ્ય અને બાકીના જિનેશ્વર ભગવંતોનો અશોક વૃક્ષ તે તે જિનેશ્વરોના શરીર કરતાં બાર ગણો ઊંચો હોય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - શ્રી વર્ધમાન સ્વામીનું શરીર 7 હાથ હતું. તેને 12 થી ગુણતાં 84 હાથ એટલે 21 ધનુષ અશોક વૃક્ષની ઊંચાઈ થાય. આ 21 ધનુષવાળા અશોક વૃક્ષ ઉપર 11 ધનુષ ઊંચો સાલવૃક્ષ હોય છે. એ બન્નેની ઊંચાઈ મળીને 32 ધનુષ ગણવામાં આવે છે. આ સાલવૃક્ષ તે વૃક્ષ છે કે જેની નીચે શ્રી વર્ધમાન સ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. શાસ્ત્રીય પરિભાષામાં આને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ ચૈત્યવૃક્ષની વ્યાખ્યા કરતાં લોકપ્રકાશમાં કહ્યું છે કે -- વૃક્ષ જ્ઞાનોત્તવૃક્ષા | ચૈત્યવૃક્ષો તે વૃક્ષો કહેવાય છે કે જેની નીચે શ્રી ઋષભાદિ જિનેશ્વરોને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. દરેક તીર્થકરને ઉત્તમ વૃક્ષની નીચે જ કેવલજ્ઞાન થાય છે. ચોવીસે વૃક્ષોનાં નામ સમવાયાંગ સૂત્રમાં છે. તેનું અવતરણ લોકપ્રકાશમાં છે. દરેક તીર્થકર ભગવંતને જે વૃક્ષની નીચે કેવલજ્ઞાન થાય છે, તે ચૈત્યવૃક્ષને દેવતાઓ દિવ્ય અશોક વૃક્ષ ઉપર સ્થાપિત કરે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - न्यग्रोधाद्या अमी ज्ञानो - त्पत्तिवृक्षा यथायथम् / सर्वेषामर्हतां भाव्या, अशोकोपरिवर्तिनः / / 1. સર્ગ-30, પૃ. 293. 2. લોક પ્ર. સ. 30, પૃ. 263. 3. લોક પ્ર. સ. 30, પૃ. 263. 4. લોક. પ્ર. સ. 30, પૃ. 264. અરિહંતના અતિશયો 145