________________ મોહરહિત અને સર્વ દેવતાઓથી પૂજિત એકસો સિત્તેર જિનેશ્વરોને હું વંદન કરું છું.' (1) આ. સહજ સુગંધિ શરીર હે જગતના અલંકાર પ્રભો ! જેના ઉપર દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરની જેમ વિભ્રમ (વિલાસનૃત્ય) ધારણ કરે છે, તે આપના સહજ સુગંધિ શરીરને મારી નમસ્કાર હો. જેમ કલ્પવૃક્ષનાં પુષ્પોની માળાને વિશે ભ્રમરોની પંક્તિઓ આકૃષ્ટ થાય છે, તેમ વૈમાનિક દેવાંગનાઓનાં પણ નેત્ર જેઓના સહજ સુગંધિ પરમ સૌભાગ્યમય શરીર વિશે સંપૂર્ણ રીતે આકૃષ્ટ થાય છે, એવા આપને દેવ ! મારો નમસ્કાર થાઓ. બીજાઓનાં શરીર કસ્તૂરી, ચંદન આદિ સુગંધિ દ્રવ્યોથી વારંવાર વાસિત થવા છતાં પણ અલ્પકાળમાં જ સુગંધહીન થઈ જાય છે, જ્યારે હે પ્રભો ! આપનું શરીર તો સ્વભાવથી જ નિત્ય સુરભિ છે, સ્વભાવસુરભિ દેહવાળા આપને મારો સંપૂર્ણ નમસ્કાર થાઓ. હે સ્વામિનું ! વૈમાનિક દેવાંગનાઓનાં નેત્ર પણ આપને જોઈને ક્ષોભવાળાં થઈ જાય છે, તો પછી મર્યલોક અને પાતાલની લલનાઓનાં નેત્ર આપને જોતાં જ ક્ષોભવાળાં થાય એમાં આશ્ચર્ય જ શું છે ? આવી જાતની દેવાંગનાઓની દૃષ્ટિઓ પણ જેના આત્માના એક પ્રદેશમાં પણ વિકારની એક નાનકડી રેખા પણ ઉત્પન્ન ન કરી શકે, એવા સદા સર્વદા નિર્વિકાર, હે પ્રભો ! આપની નિર્વિકારતાનું મને શરણ હો. (1) ઇ. નિરોગી શરીર હે નાથ !* જેમાં રોગરૂપ સર્ષો પ્રવેશ પામતા નથી એવા નિરોગી દેહવાળા આપને મારી વંદના હો. ક્ષય આદિ રોગો સતત ભયના હેતુ હોવાથી અને દુ:ખે કરીને દૂર કરી શકાય એવી દારુણ વેદનાને ઉત્પન્ન કરનારા હોવાથી તેઓને શાસ્ત્રમાં સર્પની ઉપમા આપવામાં આવે છે. આવા સર્પો કેવળ અમૃતથી પ્રતિહત (પરાજિત) થઈ જાય છે. અહીં કવિઓ ઉàક્ષા કરે છે : | ‘દિવ્ય અમૃતરસના પાનથી જે પુષ્ટિ, હે નાથ ! આપના શરીરને પ્રાપ્ત થઈ છે, તેનાથી જાણે પ્રતિત થયા હોય તેમ રોગરૂપ સર્પોના સમૂહો આપના જે શરીરમાં પ્રવેશ પામતા 1. वरकणयसंखविहुममरगयघणसनिहं विगयमोहं / सत्तरिसयं जिणाणं, सव्वामरपूइअं वंदे / / - શ્રી તિજયપહાસ્તોત્ર, ગા. 11. 2. ગ્લો. 2. 3. अमररमणीयनयनक्षोभभणनाच्च मर्त्यपाताल-ललनालोचनक्षोभः एव भगवद्देह इति / - શ્રી વીતરાગ સ્તોત્ર ટીકા, પ્ર. 2. ગ્લા. . 4. ગ્લો. 3. અરિહંતના અતિશયો 292