________________ નથી, તે અતિશય સંપન્ન દેહને મારી નમસ્કાર થાઓ.” સ્વભાવથી જ ભગવંતનું શરીર સર્વ રોગોથી રહિત હોય છે, અહીં સ્તુતિકારો ઉભેંક્ષા “હે ભગવંત ! બાલ્યાવસ્થામાં આપ માતાના દુધનું પાન કરતા નથી, પણ સુરેન્દ્રો આપના હાથના અંગૂઠામાં અમૃતરસનો સંચાર કરે છે અને આપ તેનું પાન કરો છો. તે અમૃતપાનથી થયેલ પુષ્ટિના કારણે જ જાણે પરાક્ષુખ થયા હોય એવા રોગરૂપ સર્પોના સમૂહો આપના શરીરને વિશે પેસતા નથી. (1) ઈ. પરસેવાથી રહિત શરીર ' હે નાથ ! બીજાઓનાં શરીર ગરમીના કારણે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, જ્યારે આપનું શરીર તો દર્પણમાં સંક્રાંત પ્રતિમા જેવું છે; જેમ દર્પણમાં રહેલ રૂપ પરસેવાથી વ્યાખ કદાપિ ન થાય, તેમ આપનું શરીર નિસર્ગથી જ પરસેવાથી રહિત છે. એવા આપના શરીરને મારી નમસ્કાર થાઓ. 2. દ્વિતીય સહજાતિશય : રક્તમાંસાતિશય 2. અ. ક્ષીરધારા સમાન રક્ત હે વીતરાગ ! આપના અન્વર્થ (યથાર્થ)નામથી જ સુવિદિત છે કે આપનું મન રાગરહિત છે. હે ભગવનું કેવળ આપનું મન જ રાગ-વિષયાસક્તિથી રહિત છે, એવું નથી, પણ આપના દેહમાં રહેલ રક્ત પણ રાગ-લાલરંગથી રહિત છે, દૂધની ધારા સમાન શ્વેત છે. હે દેવ ! આપ જ્યારે રાગના નિગ્રહમાં આગ્રહવાળા હતા ત્યારે આપનું રક્ત (રુધિર) અંદરથી આશ્ચર્યચકિત થયું અને તે રક્ત રાગ (પોતાની લાલાશ)નો ત્યાગ કર્યો ! 2. બ. અદુર્ગધી શુભ્ર માંસ હે સ્વામિન્ ! સર્વ જગતથી વિલક્ષણ અસામાન્ય અને લોકોત્તર એવા આપના રૂપ, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઇન્દ્રધ્વજ, ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણોની રાશિને સ્તવવા માટે આખું જગત પણ સ્તુતિકાર બની જાય તો પણ તે કેવી રીતે સ્તવી શકે ? નાથ ! બીજા ગુણોની તો વાત જ શી કરીએ ? પણ આપના દેહની ધાતુરૂપે રહેલ માંસ પણ જગતના સર્વ જીવોના માંસ કરતાં અત્યંત વિલક્ષણ છે. બીજાઓનું માંસ તો દુગંધવાળું, જાવું ન ગમે તેવું અને લાલ હોય છે, જ્યારે આપનું માંસ તો સર્વથા દુગંધ 1. 2. 3. ગ્લો. 4. ગ્લો, પ. બ્લો. 6. 292 અરિહંતના અતિશયો