________________ અગિયાર કર્મક્ષયજ અતિશયો સર્વવિરતિના સ્વીકારની સાથે જ ભગવાન તીવ્રતમ તપને તપે છે. તે તપરૂપ પ્રચંડ પવનથી પ્રજ્વલિત થયેલ શુક્લ ધ્યાનરૂપ દાવાનલ ઘાતિકર્મ વનને સંપૂર્ણ રીતે બાળી નાખે છે. તે કર્મવનમાં રહેલ જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મવૃક્ષો ભસ્મસાત્ થઈ જાય છે. એ રીતે ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને અગિયાર અતિશયો ઉત્પન્ન થતા હોવાથી એ કર્મક્ષય અતિશયો કહેવાય છે. આ અતિશય ફકા તીર્થકરને જ હોય છે. શ્રી તીર્થકર ભગવંતના જ્ઞાન-દર્શન- ચારિત્રરૂપ મહાયોગનું જગતમાં સામ્રાજ્ય છે. તે સામ્રાજ્યના વિશ્વવિખ્યાત મહિમાના આ અતિશય સૂચક છે. કર્મક્ષયજ પ્રથમ અતિશયઃ સર્વાભિમુખ્યત્વ હે ઇન્દ્રોના નાથ ! શ્રી તીર્થકર નામકર્મના મહોદયથી આપે પરમ આન્ય (અરિહંતપણું) પ્રાપ્ત કરેલ છે. તે પરમ આઈજ્યના પ્રભાવથી આપ સૌને સદા સર્વ રીતે સંમુખ દેખાઓ છો. એ આપનો સર્વાભિમુખ્યત્વ નામનો પ્રથમ કર્મયજ અતિશય છે. એ અતિશયના કારણે આપ કોઈને પણ ક્યાંય પણ કદાપિ પરાભુખ હોતા નથી.' જેમ પિતા પોતાનાં સંતાનોને આનંદ પમાડે છે, તેમ હે જગત્યિતા ! આપ આપની સમીપમાં રહેલ કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને આપના આ સર્વાભિમુખ્યત્વ અતિશયથી સર્વ પર સમદષ્ટિ ધારણ કરીને ચિરકાલીન આનંદ પમાડો છો. આ આપની મહાન યોગ સમૃદ્ધિ છે. કર્મક્ષયજ દ્વિતીય અતિશય યોજનપ્રમાણ સમવસરણભૂમિમાં કરોડો દેવ-મનુષ્ય-તિર્યંચોનો નિરાબાધ સમાવેશ હે દેવાધિદેવ ! ત્રણે ભુવનના અલંકાર સમાન એવા આપના દેવનિર્મિત એક યોજના પ્રમાણ સમવસરણ (ધર્મદેશના ભૂમિ)માં એકી સાથે કરોડો દેવ-મનુષ્ય તિર્યંચો નિજ નિજ પરિવાર સાથે કોઈ પણ જાતની પીડા વિના સમાઈ જાય છે. એ ખરેખર આપની મહાન યોગસમૃદ્ધિ છે. કર્મક્ષય તૃતીય અતિશય સ્વસ્વભાષા પરિણામમનોહર વચન હે વાણીના અધિપતિ ! સમવસરણમાં સમુપસ્થિત થયેલા દેવતાઓ, મનુષ્યો અને 1. તીર્થર દિ સર્વતઃ સમુHI Uવ, તુ પરાવ: વપI - વી. સ્તો. પ્ર. 3 શ્લો. 1 અવચૂરિ. 2. ગ્લો. 2. 3. ગ્લો. 3. 4. 1 યોજન = 4 ગાઉ. 5. ગ્લો. 3. અરિહંતના અતિશયો. 295