________________ તેટલા જ રહે છે. આવો બાહ્ય પણ યોગનો મહિમા (બુદ્ધ વગેરે) અન્ય ધર્મના શાસકોએ પ્રાપ્ત કર્યો નથી. शब्दरूपरसस्पर्शगन्धाख्याः पञ्च गोचराः / भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव / / 8 / / આપની આગળ બૌદ્ધ, નૈયાયિક વગેરે તાર્કિકોની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રતિકૂલપણાને ભજતા નથી (અનુકૂળતાને ધારણ કરે છે). त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते / आकालकृतकन्दर्प-साहायकभयादिव / / 9 / / અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હોય નહિ તેમ સઘળી ઋતુઓ એકસાથે આવીને આપનાં ચરણોની સેવા કરે છે. सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च / માવિત્વતાસંસ્પર્શી, પૂનત્તિ મુવં સુર : ગાર મા . જે ભૂમિને ભવિષ્યમાં આપનાં ચરણોનો સ્પર્શ થવાનો હોય તે ભૂમિને દેવતાઓ સુગંધિ જલની વૃષ્ટિ વડે અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિ વડે પૂજે છે. जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् / का गतिर्महतां तेषां, त्वयि ये वामवृत्तयः ? / / 22 / / હે જગભૂજ્ય !પક્ષીઓ પણ આપને પ્રદક્ષિણા(અનુકૂલ વૃત્તિમાં) ફરે છે, તો પછી આપના પ્રત્યે પ્રતિકૂલવૃત્તિ વર્તન રાખનારા મોટા ગણાતા એવા મનુષ્યોની શી ગતિ થશે ? पञ्चेन्द्रियाणां दौःशील्यं, क्व भवेद् भवदन्तिके / एकेन्द्रियोऽपि यन्मुञ्चत्यनिलः प्रतिकूलताम् / / 22 / / એકેન્દ્રિય વાયુ પણ આપની આગળ અનુકૂળ થઈને વહે છે તો પંચેન્દ્રિય જવાનું આપની આગળ પ્રતિકૂળપણું હોય જ ક્યાંથી ? मूर्जा नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः / तत्कृतार्थ शिरस्तेषां व्यर्थं मिथ्यादृशां पुनः / / 23 / / હે પ્રભુ! આપના માહાત્મથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ આપને મસ્તક વડે નમસ્કાર કરે છે. તે કારણે તેઓનાં મસ્તક કૃતાર્થ છે, કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાષ્ટિઓના મસ્તક નિરર્થક જ છે. जघन्यतः कोटिसंख्यास्त्वां सेवन्ते सुरासुराः / भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते / / 24 / / 286 અરિહંતના અતિશયો