________________ તરુણ ગાયિકા-સમૂહોનો ગીતધ્વનિ ઉચિત વાજિંત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરાય છે, તેમ અહીં પણ જાણવું. સંગીતમાં વાજિંત્રો વગેરેનો ધ્વનિ ભળતાં તે વધુ આસ્લાદક થાય છે, એ તો સુવિદિત જ છે. અહીં જેટલા અંશમાં દેવતાઓનો ધ્વનિ (વાજિંત્રનાદ) છે, તેટલા અંશમાં પ્રાતિહાર્યપણું જાણવું. | દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય કેમ કહેવાય છે, તે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં દર્શાવેલી અપેક્ષાને આપણે જોઈ ગયા. હવે વીતરાગસ્તવની ટીકામાં દર્શાવેલી બીજી અપેક્ષાએ તે જોઈએ. તે આ રીતે છે - तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विद्यते, किन्तु वृत्तिकृत इव सूत्रं, सुरास्तमेव स्वरमायोजनं विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते / ધર્મનો ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિવરોમાં પેસતા અમૃતના નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડ દેશના આપે છે, પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તાર છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્યધ્વનિ કહેવાય છે. આ દિવ્યધ્વનિ વિશે લોકપ્રકાશમાં કહ્યું છે કે - मालवकैशिकीमुख्यग्रामरागांचितोऽर्हताम् / आयोजनं ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति / / માલકોશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશનાનો ધ્વનિ દિવ્યધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં ફેલાય છે. આ પ્રાતિહાર્યને વિશે શ્રી વીતરાગસ્તવમાં તથા તેની ટીકા અને અવસૂરિમાં કહ્યું ‘ક્ષીરાસવી, સર્ષિરાવી, મધ્વાસવી અને અમૃતસવી* મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડ જ્યારે આપ દેશના આપો છો. ત્યારે માધુર્ય રસથી પરિપૂર્ણ એવા આપની વાણીના 1 વી, સ્ત, પ્ર. 5 બ્લાક, 3 ટીકાની અવતરણિકા 2. લા ક , સ ' , 3 '' - 3. પ્ર. 5 કે . 8. 4. મુનિનો આ ચાર લબ્ધિ (સિદ્ધિ ની છે. એ ચારમાં અનુક્રમે વાણી જાણ મીર ઘત, મધુ અને મધના માધુર્યન ન »રતી હોય તેવી હોય છે. અરિહંતના અતિશયો 253