________________ કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા નિર્મલ ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મંચ પર્વતની ઊંચી સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. પાંચમું મહાપ્રાતિહાર્ય સિંહાસન खे पादपीठेन सह मृगेन्द्रासनं सिंहासनमुज्ज्वलं निर्मलमाकाशस्फटिकमयत्वाद् / આકાશમાં પાદપીઠથી સહિત સિંહાસન હોય છે. તે નિર્મલ આકાશ સ્ફટિકમય હોવાથી અત્યંત ઉજ્જવલ હોય છે. ભગવાન ચાલતા હોય છે. ત્યારે આ સિંહાસન પાદપીઠથી સહિત) ઉપર આકાશમાં ચાલે છે, ભગવંત બેસે ત્યારે તે ઉચિત સ્થાને નીચે ગોઠવાઈ જાય છે અને સમવસરણમાં અશોકવૃક્ષના મૂળમાં ચાર દિશામાં ચાર સિંહાસન હોય છે. આ સિંહાસનનો સ્કંધબંધ (પાછળનો પીઠ ટેકવાનો ભાગ) અત્યંત તેજસ્વી એવા રક્તવના હોય છે. આ સિંહાસન સ્પષ્ટ દેખાતી એવી વિકટ દાઢાઓથી કરાલ અને જાણે સજીવ હોય તેવા સિંહની આકૃતિ પર પ્રતિષ્ઠિત હોય છે, એ સિંહાસન અનેક ઉત્તમ રત્નોથી ખચિત હોય છે. તે રત્નામાંથી અનેક રંગોનાં કિરણો નીકળતાં હોય છે. આવું સુંદર સિંહાસન દેવતાઓ રચે છે. લોકપ્રકાશ'માં કહ્યું છે કે -- અશોકવૃક્ષના મૂળભાગમાં ચાર દિશામાં ચાર સિહાસન હોય છે. તે સિંહાસનો સુવર્ણમય અને પ્રકાશમાન રત્નોની પંક્તિઓથી ખચિત હોય છે. તે રત્નપંક્તિઓને જોતાં એવું લાગે છે કે જાણે સિંહાસનોએ પોતે જ પોતાના ઉપર વિરાજમાન પુરુષસિંહ ભગવાન તીર્થકરને સાક્ષાત્ જોવા માટે લાખો ઉજ્જવળ વિકસિત નિર્નિમેષ નેત્રો ધારણ કર્યા ન હોય ! દરેક સિંહાસનની આગળ જેનાં રત્નમાંથી અત્યંત પ્રકાશમાન જ્યોતિસમૂહો નીકળી રહ્યા છે, એવું પાદપીઠ હોય છે, તેનો દિવ્ય પ્રકાશ જોતાં એવું લાગે છે કે તે જાણે ભગવંતના પાદસ્પર્શની પ્રાપ્તિથી ઉલ્લાસવાળું ન બન્યું હોય ! દરેક સિંહાસન ઉપર મોતીઓની માળાઓથી શોભતાં ત્રણ છત્ર હોય છે. દરેક 1. અ. ચિ. કાં. 1 શ્લો. 61. માસનામવં સપાયä સદાસ ! - શ્રી સમવાયાંગ સુત્ર-૩૪, અતિશય-૯ . આકાશ સ્ફટિકમય સિંહાસન પાદપીઠથી સહિત હોય છે. આકાશ ટિ ક અત્યંત સ્વચ્છ હોય છે. 3. આ પ્રવ. સારા. ગા, 840 વૃત્તિનો ભાવાર્થ છે. 4. સ30, પૃ. 265 . અરિહંતના અતિશયો