________________ પરિશિષ્ટ-૪ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત શ્રી વીતરાગ સ્તવ (મૂળ શ્લોકો અને શબ્દાર્થ) પ્રકાશ-૨ સહજાતિશયસ્તવ प्रियंगुस्फटिकस्वर्णपद्मरागाञ्जनप्रभः / vમ તવાતશુચિ:, : મિવ નક્ષપે સારા પ્રભુ ! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજ્વલ, સુવર્ણની જેમ પીળો, પમરાગની જેમ રાતો અને અંજનની જેમ શ્યામ કાંતિવાળો અને ધાયા વિના જ પવિત્ર એવો આપનો દેહ કોને આશ્ચર્યચકિત ન કરે ? मन्दारदामवनित्यमवासितसुगन्धिनि / तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् / / 2 / / કલ્પતરુનાં પુષ્પોની માલાની જેમ સર્વદા સ્વાભાવિક સુગન્ધિ એવા આપના શરીરને વિપ દેવાંગનાઓનાં નેત્રો ભ્રમરપણાને પામે છે. दिव्यामृतरसास्वादपोषप्रतिहता इव / समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः // 3 // હે નાથ ! અલૌકિક અમૃતરસના પાનની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ ક્ષય વગેરે રોગરૂપી સર્પના સમૂહો આપના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके / क्षरत्स्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः / / 4 / / 1. પ્રસ્તુત લેખન શ્રી ‘વીતરાગ સ્તવપ્રકાશ-૨-૩-૪-૫, મુલ શ્રી ‘પ્રભાનંદસૂરિકૃત વિવરણ' અને શ્રી વિશાલસૂરિકૃત અવચૂર્ણિ ના આધારે કરેલ છે. આ વીતરાગ સ્તોત્ર' વિવરણ અને અવમૂર્ણિથી સહિત પ્રતાકારે કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ તરફથી પ્રકાશિત થએલ છે. સંપાદક પ. પૂ. આ. દેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિખરન મુનિ કાંતિવિજયજી પાછળથી સ્વ. પ. પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવર) છે. મુંબઈ, દાદર જ્ઞાનમંદિરની પ્રત નં. ૩૯૮ના આમાં ઉપયોગ કરેલ છે. પ્રથમ મૂળ શ્લોકો અને શબ્દાર્થ આપેલ છે. તે પછી વિસ્તૃત ભાવાર્થ આપેલ છે. અરિહંતના અતિશયો 282