________________ 12. સમસ્ત ભવનને વ્યાપતો ઊંચો દુંદુભિનાદ હોય છે. 13. સુખકારી અનુકૂલ પવન હોય છે. 14. પક્ષીઓ પ્રદક્ષિણાવાળી ગતિવાળાં હોય છે. 15. ગળ્યોદકની વૃદ્ધિ થાય છે. 11. અનેક વર્ણવાળાં પુષ્પોની વૃષ્ટિ જાનુપ્રમાણ થાય છે. 17. કેશ, રોમ, દાઢી, મૂછ અને નખો વધતા નથી - સદા એકસરખાં રહે છે. 18. ભવનપતિ આદિ ચારે નિકાયોના ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ ભગવંતની સાથે ને સાથે જ હોય છે. 19. વસંત આદિ ઋતુઓ પુષ્ય આદિ સામગ્રી વડે અનુકૂળ થાય છે. તે અનુકૂળતા અમનોજ્ઞ (અપ્રતીતિકારક) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપ ઇન્દ્રિયાથનો અપકર્ષ (હાનિ) થવા વડે તથા મનોજ્ઞ (મનોહર) ઇન્દ્રિયાર્થોના પ્રાદુર્ભાવ વડે થાય છે. આ રીતે શ્રી તીર્થકર ભગવંતોના આ ઓગણીશ અતિશયો દેવકૃત છે. બીજા ગ્રંથોમાં આ અતિશયો બીજી રીતે પણ જોવામાં આવે છે, તે મતાંતર જાણવું. આ ઓગણીશમાં ચાર સહજ અતિશયો અને અગિયાર કર્મક્ષયજ અતિશયો મેળવીને એ બધાની એકત્ર યોજના કરવાથી ચોત્રીશ થાય છે. 280 અરિહંતના અતિશયો