________________ ભગવંત જ્યારે સમવસરણમાં અશોક વૃક્ષ પાસે પધારે છે, ત્યારે સૌથી પહેલાં ત્રણ પ્રદક્ષિણા અશોક વૃક્ષને કરે છે. તે પછી જ ભગવંત સિંહાસન પર બેસે છે. ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્રમાં કહ્યું છે કે - ‘જગત્પતિએ ભવ્ય જનોનાં હૃદયની જેમ મોક્ષદ્વારરૂપ એ સમવસરણમાં પ્રવેશ કર્યો. અશોક વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી. તે પછી પૂર્વ દિશા તરફ આવી. “નમસ્તી' એમ કહીને એટલે કે તીર્થને નમસ્કાર કરી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ સિંહાસન ઉપર વિરાજમાન થયા તે જ ક્ષણે બાકીની ત્રણ દિશાઓમાં વ્યંતર દેવોએ ભગવંતનાં ત્રણ પ્રતિરૂપ વિકવ્ય. શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં કહ્યું છે કે - હે દેવાધિદેવ ! આપની મહાપૂજા માટે દેવતાઓ અષ્ટ મહાપ્રાતિહાર્યની રચના કરે છે. તેમાં અશોક વૃક્ષ સૌથી પ્રથમ હોય છે. જેમ જંબૂઢીપની મધ્યમાં જંબૂ મહાવૃક્ષ છે તેમ સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ હોય છે. હે નાથ ! સર્વ જીવોને અભય આપનારા આપનાં સમવસરણમાં આપના શરીરની ઊંચાઈ કરતાં તે અશોક વૃક્ષ બાર ગણો ઊંચો હોય છે. તે પરિમંડલકારે સંપૂર્ણ સમવસરણ ઉપર એક યોજન સુધી વિસ્તરેલો હોય છે. હે સ્વામિનું! આપની સમવસૃતિ (સમવસરણ) રૂપ મહાલક્ષ્મીનાં મસ્તકે તે મહાન સુંદર છત્રની જેમ શોભે છે. વ્યંતર દેવતાઓ આપની મહાભક્તિ નિમિત્તે પ્રથમ મહાપ્રાતિહાર્યરૂપે તે અશોક વૃક્ષની રચના કરે છે.” જગતના સર્વ સત્ત્વોના શોકને દૂર કરનાર છે સ્વામિનું ! આપના મહાપ્રભાવથી દેવતાઓ વડે વિરચિત અશોક વૃક્ષ પરમ આનંદને પામી રહેલ છે.” અશોક વૃક્ષ એ વિચારથી પ્રમોદ પામી રહેલ છે કે - ‘કષાયોરૂપ દાવાનલથી પરિતપ્ત અને અતિકષ્ટ કરીને જેનો પાર પામી શકાય એવી સંસાર- અટવીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય જીવો માટે આ ભગવંત જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામ વૃક્ષ છે. હું તો અત્યંત ભાવશાળી છું કે આ વિશ્રામ વૃક્ષરૂપ ભગવંતનો પણ હું વિશ્રામ વૃક્ષ છું, કારણ કે આ ભગવાન પણ પોતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામાં વિશ્રાંતિ પામે છે ! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજું કયું હોઈ શકે ? સર્વ જગતનાં મસ્તકે રહેલ ભગવંતનાં પણ મસ્તકે હું છું.” હે સ્વામિનું ! આ અશોક વૃક્ષના પ્રમોદનાં ચિહ્નો અમે જોયાં અને તેથી જ ઉપરનું 1. ભાષા. પર્વ-૧, સર્ગ-૬, પૃ. 207. 2. પ્ર. 5, લો. 1. આ વર્ણન ભગવંતની સ્તુતિરૂપે અહીં આપ્યું છે. 3. વીતરાગ સ્તવની આ સ્તવના છે. પ્ર. 5, શ્લોક. 1. અરિહંતના અતિશયો 147