________________ આ રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં સમવસરણની ઋદ્ધિ જોઈને જ અગિયારે અગિયાર ગણધરો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીતરાગસ્તવમાં ઠીક જ કહ્યું છે કે - एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव / વિત્રીયને ન ટર્કી, નાથ ? મિથ્યાદશપિ દિવ-દ્દાઓ હે નાથ ! આ તમારી ચમત્કારક પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને કયા મિથ્યાદૃષ્ટિ જીવો પણ ચમત્કારને પામતા નથી ? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે - દિવ્ય ધ્વનિ સૂરફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થપ્પોજી. શ્રી દેવચંદ્રજી કહે છે : પ્રાતિહારજ અતિશય શોભા, તે તો કહી ન જાય જી; ધૂક બાલકથી રવિકરભરનું, વર્ણન કેણી પેરે થાય છે. ભક્તામરસ્તવમાં પણ કહ્યું છે કે : इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशविधौ न तथा परस्य / यादृक् प्रभा दिनकृत: प्रहतान्धकारा, तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि / / આ રીતે હે જિનેન્દ્ર ! ધર્મના ઉપદેશના સમયે તમારી જેવી વિભૂતિ હોય છે, તેવી બીજા અરિહંતના અતિશયો 72