________________ આ અરિહંતોના નામઅરિહંત વગેરે અનેક પ્રકારો છે. શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે - નામસ્થાપનાદિવ્યમાવતતા : (અ. 1 સૂ. 5) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેનો ન્યાસ કરવો. તાત્પર્ય કે ઓછામાં ઓછા અરિહંતના ચાર પ્રકાર તો વિચારવા જ. તે આ રીતે નામઅરિહંત, સ્થાપનાઅરિહંત, દ્રવ્યઅરિહંત અને ભાવઅરિહંત. તેમાં ભાવઉપકાર કરનાર ભાવઅરિહંતની જે સંપત્તિ (પ્રાતિહાર્યાદિ ઐશ્વર્ય)ને કહેનારું આ ભગવંતા પદ છે. ભાવઉપકારની વ્યાખ્યા કરતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે - __ भावुवयारो सम्पत्तनाणचरणेसु जमिह संठवणं / ભાવઉપકાર=સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવોને જે સ્થાપવા, તે તેમના ઉપરનો ભાવઉપકાર છે. ભાવઉપકાર કરનારી હોવાથી ભગવંતની પ્રાતિહાર્યાદિ સંપત્તિ એ શ્રી ભગવંતનું અંક લોકોત્તર ઐશ્વર્ય છે. આ પ્રાતિહાર્યાદિ-સંપત્તિના કારણે લોકોને ભગવંતની સંપૂર્ણ પ્રભુતાના દર્શન થાય છે. એથી જ કલ્યાણ મંદિર સ્તોત્રમાં દુંદુભિ મહાપ્રાતિહાર્યનું વર્ણન કરતાં કહ્યું છે કે - भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निवृतिपुरी प्रति सार्थवाहम् / एतनिवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदनभिनभः सुरदुन्दुभिस्ते / / હું (સ્તોત્રકાર) માનું છું કે આકાશમાં નાદને કરતી આપની દેવદુંદુભિ ત્રણે જગતને કહે છે - 1. નામ અરિહંત - અરિહંતના પર્યાયવાચક શબ્દો જેમ કે જિન, અહમ્, પારગત વગેરે અથવા ઋષભ, અજિત વગેરે અરિહંતનાં નામો. નામ અરિહંતની ઉપાસના એટલે અરિહંત, ઋષભ વગેરે નામનું સ્મરણ. તેનાથી આત્મા પવિત્ર થાય છે. સ્થાપના અરિહંત - અરિહંત ભગવંતની પ્રતિમાઓ. દ્રવ્ય અરિહંત - જે આત્માઓ અરિહંત પદવીને પીને સિદ્ધ થયા છે, તે આત્મા અને જેઓ અરિહંત પદ પામશે તે જીવો. ભાવ અરિહંત - અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષા અનુભવતા કેવલી અરિહંતો. અરિહંતની ભાવાવસ્થાનું ધ્યાન તે રૂપ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં પ્રાતિહાય અને અતિશયોનું ધ્યાન અવશ્ય કરવાનું હોય છે. અરિહંતના અતિશયો GC