________________ આવા ઉલ્લેખો અનેક વિદ્યાઓ, મંત્રો, યંત્રો વગેરેનાં વિધાનોમાં મળે છે. અહીં ફક્ત ઉપરનું એક જ વર્ણન દૃષ્ટાંત રૂપે આપેલ છે. શ્રી વર્ધમાન વિદ્યા વગેરે અનેક વિદ્યાઓના પટોમાં પણ ત્રણ ગઢનું આલેખન કરવામાં આવે છે.” આથી સ્પષ્ટ સમજાશે કે ત્રણ ગઢ વગેરે પ્રત્યેક અતિશયની પાછળ મહાન ધ્યાન પ્રક્રિયાઓ રહેલી છે. દેવકૃત આઠમો અતિશય ચતુર્મુખાંગતા चतुर्मुखाङ्गता' / સમવસરણમાં ભગવંત ચાર મુખ અને ચાર અંગવાળા હોય છે. સમવસરણમાં પૂર્વદિશાના સિંહાસને ભગવંત પોતે બેસે છે. બીજી ત્રણ દિશાઓમાં અંતર દેવતાઓ સિંહાસન વગેરેથી સહિત ભગવંતના શરીરની ત્રણ પ્રતિકૃતિઓ રચે છે. આ ત્રણ પ્રતિકૃતિઓ રચે છે દેવતાઓ, પણ તે થાય છે -- ભગવંતના પ્રભાવથી જ, ભગવંતના પ્રભાવથી જ દરેકને એમ લાગે છે કે સ્વયં ભગવંત જ અમન ધર્મ ક રહ્યો છે.' શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - जे ते देवेहिं कया, तिदिसि पडिरूवगा तस्स / तेसिपि तप्पभावा, तयाणुरूवं हवइ रुवं / / દેવોએ જે ત્રણ દિશામાં ભગવંતના ત્રણ પ્રતિરૂપ કર્યા છે, તે પ્રતિરૂપોને પણ ભગવંતના પ્રભાવથી જ ભગવંત જેવું રૂપ હોય છે. શ્રી વીતરાગ સ્તવમાં અલંકારિક ભાષામાં કહ્યું છે કે - "હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો !" 1. વર્ધમાન વિદ્યાના પટને વિશે ભાવના કરવાનું વિધાન છે 2. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. 104 ની સામે દર્શાવેલ વર્ધમાન વિદ્યાના પટનું ચિત્ર. 3. અ. ચિ, કાં, 1 શ્લો. ૬ર. 4. चत्वारि मखानि अंगानि गात्राणि च यस्य स तथा तदभावश्चतमखाङ्गाता भवतीति / અ, ચિ, કાં, 1 ગ્લો. 62, ટી. 5. પ્ર. સારો, ગા. 447 ટીકા. 6. વિશેષા, ભા. 2 પૃ. 338, ટિપ્પણી તથા આવ, મલય. ગા. 557. 224 અરિહંતના અતિશયો