________________ સંવર્તક નામનો પવન એક યોજન પ્રમાણભૂમિને શુદ્ધ કરતો હોવાથી અને સુગંધિ, શીતલ અને મંદગતિવાળ હોવાથી અનુકૂલ-સુખકારક થાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારના વર્ણન વખતે પવનનું વર્ણન કરતાં કહ્યું છે કે - "સુગંધિ પંખાના વાયરાની માફક મૃદુ, શીતલ અને સુગંધિ અનુકૂળ પવન ભગવંતની નિરંતર સેવા કરતો હતો." દેવકૃત ચૌદમો અતિશય પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે શના: પ્રHિTT: | शकुनाः पक्षिण: प्रदक्षिणगतयः स्युः / ભગવંત જે રસ્તે વિહાર કરતા હોય તે રસ્તે ઉપર આકાશમાં જતા ઉત્તમ પક્ષીઓની પંગતિ પ્રદક્ષિણાવાળી થાય છે. પોપટ, ચાસ, મોર વગેરેમાં પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણા આપે છે. શકુન શાસ્ત્રની દૃષ્ટિએ આને ઉત્તમ શકુન કહેવામાં આવે છે. વિતરાગ સ્તવમાં કહ્યું છે કે - "હે રંગભૂજ્ય : દેવો, દાનવો અને માનવો તે આપને પ્રદક્ષિણા કરે જ છે, પણ પોપટ આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પાવન કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણામાં ફરે છે. હે દેવાધિદેવ ! તે પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિ આલંકારિક ભાષામાં કહે છે કે - "તેઓ પક્ષીઓ અલ્પજ્ઞાનવાળાં હોવા છતાં પણ તેઓની આપની વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત ગતિ હોય છે; પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઇન્દ્રિયાદિ સામગ્રી અને વિશાળ જ્ઞાનને પામવાનાં કારણે પક્ષીઓ કરતાં મહાન હોવા છતાં પણ જેઓ જગદ્ વત્સલ એવા આપને વિશે વામ વૃત્તિ-પ્રતિકૂલ આચરણ કરે તો તેઓની શી ગતિ થશે ?" 1. પર્વ 12, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 2. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 3. અ. ચિ. કાં. 1 શ્લો. 12 સ્વો. ટી. 4. પ્ર. સારી. ગા. 449 ટી. 5. વી. સ્ત, પ્ર. 4 શ્લો. 11 વીવ. એવ. અરિહંતના અતિશયો 233