________________ દેવકૃત ઓગણીસમો અતિશય ઋતુઓ અને ઇન્દ્રિયાર્થોનું અનુકૂલપણું ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वम् / ऋतूनां वसन्तादीनां सर्वदापुष्पादिसामग्रीभिरिन्द्रियार्थानां स्पर्शरसगन्धरूपशब्दानाममनोज्ञानामपकर्षेण मनोज्ञानां च प्रादुर्भावनानुकूलत्वं भवतीति एकोनविंशः (अतिशयः')। વસંત વગેરે છએ ઋતુઓ પોતપોતાની પુષ્પાદિ સામગ્રીથી સર્વદા અનુકૂલ થાય છે. અને મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઇન્દ્રિયોના પ્રશસ્ત અર્થોનો પ્રાદુર્ભાવ અને મનને ન ગમતા અપ્રશસ્ત ઇન્દ્રિયાર્થોનો અપકર્ષ-હીનતા થાય છે. આ દેવકૃત ઓગણીશમાં અતિશય છે. 1. અ. ચિકાં. 1 શ્લો. 64. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 64, વો. ટી. 3. પ્રવચન સારોદ્ધાર વગેરે ગ્રંથોમાં ઋતુઓની અનુકૂળતા અને ઇંદ્રિયાથની અનુકુળતા એમ અલગ અલગ ગણી બે અતિશય તરીકે ગણવામાં આવ્યા છે. પ્રવચન સારોદ્ધાર અને તેની ટીકામાં આ દેવકૃત અતિશયોનું વર્ણન આ રીતે થાય છે : અતિશય-૧૨ : શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શરૂપી પાંચ ઇન્દ્રિયામાં જે અમનોહર હોય તેનો અભાવ થાય છે અને મનહર ઇન્દ્રિયાર્થોનો પ્રાદુર્ભાવ થાય છે. અતિશય-૧૩ : વસંત વગેરે છએ ઋતુઓ શરીરને સુખકર-અનુકૂલ સ્પર્શ ઉત્પન્ન કરવાથી તથા વિકસિત એવી પુષ્પાદિની સમૃદ્ધ સામગ્રીથી સદા અનુકૂળ બને છે. શ્રી સમવાયાંગ સૂત્ર અને તેની ટીકામાં - આ જ અતિશયના ત્રણ અલગ અલગ અતિશયો ગણાવ્યા છે. તે આ રીતે -- અતિશય-૧૫ - સર્વ ઋતુઓ સદા અનુકૂલ-સુખ સ્પર્શદિવાળી થાય છે. અતિશય-૧૯ - ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમનોજ્ઞ-મનને ન ગમતા શબ્દ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ એ પાંચ ઇન્દ્રિયાર્થોનો અભાવ થાય છે. અતિશય-૨૦ - મનોજ્ઞ-મનગમતાં શબ્દાદિ ઇન્દ્રિયાર્થોનો પ્રાદુર્ભાવ થાય છે. આ અતિશયોની ગણના વિશે “અભિધાન ચિંતામણિ'ની સ્વપજ્ઞ ટીકામાં કહ્યું છે કે - ત્તેિ જ થાડપિ ટલ્લે તનેતાન્તરમવાસ્થતિ ! (કાંડ-૧ ગ્લો. 64 ટીકા), સારાંશ કે આ અતિશયો બીજા ગ્રંથોમાં જે બીજી રીતે પણ દેખાય છે, તે મતાંતર જાણવું. 140 અરિહંતના અતિશયો