________________ અતિશય-૨૧ आगया समाणा अरहओ पायमले निप्पलिवयणा हवंति / ટીકામાં અર્થ આ રીતે કરેલ છે : અતિશય-૨૪ પૂર્વે આ જન્મમાં કે જન્માંતરમાં બાંધેલ કે નિકાચિત કરેલા વરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવંતની પાસે પ્રશાંત મનવાળાં થઈન ધર્મ સાંભળે છે. બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિ તીવ્ર વરવાળા વમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવો, યક્ષો, રાક્ષસો, કિંનરો, કિંગુરુષો, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવતાઓ. ગંધર્વો અને મહારગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ વિનયપૂર્વક અને ભાવપૂર્વક ધર્મ સાંભળે છે. અતિશય-૨૫ અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકો-સંન્યાસીઓ પણ ભગવંત પાસે આવીને ભગવંતને નમન કરે છે. અતિશય-૨૧ ભગવંતના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકો નિરુત્તર થઈ જાય છે. આ અતિશયથી ગર્ભિત સ્તુતિ વડે શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે - “હે સ્વામિન્ ! ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં રહેલા ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ આપની સદા ભક્તિપૂર્વક સેવા કરે છે. ઉત્કૃષ્ટથી આપની સમીપમાં કોડાકોડી સંખ્યાવાળા દેવતાઓ આપની ઉપાસનામાં ભક્તિપૂર્વક સમુપસ્થિત થાય છે.” હે નાથ ! અગણિત પુણ્યસંચયથી પ્રાપ્ત થતા પ્રયોજનને વિશે મંદબુદ્ધિવાળા જન પણ ઉદાસીન (પ્રયત્નરહિત) હોતા નથી, તો પછી આ તો દેવતાઓ છે, તેઓ મહાનું પુણ્યાનુબંધિ પુણ્યથી પ્રાપ્ત થયેલી આપની ભક્તિને વિશે ઉદાસીન કેમ હોય ?" 1. પ્ર. 4 ગ્લો. 14 વીવ. એવ. અરિહંતના અતિશયો 239