________________ દેવગણોમાંથી દેવેન્દ્ર સ્વયં આગળ આવે છે અને તે દેવેન્દ્રથી પ્રેરિત વજ વડે નખાદિમાં જે વધવાની શક્તિ છે તેને કુંઠિત કરી દેવામાં આવે છે. તેથી તે નખ વગેરે વૃદ્ધિ કે હાનિ પામતાં નથી. સદા એકસરખાં રહે છે." ઉપર કહેલ વિવરણ અને અવચૂરિનો સારાંશ આ રીતે છે : “હે સર્વાતિશાયી મહિમાને ધારણ કરનાર સ્વામિનું ! એ સત્ય છે કે અન્ય શારાના માં સ્થાપકો અસર્વજ્ઞ હોવાથી આપના જેવો કેવલજ્ઞાનાદિ આંતરિક યોગ મહિમા તો નથી જ પામી શક્યા, પણ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતારૂપ બાહ્ય યોગ મહિમાને પણ તેઓ પામી શક્યા નથી. “હે દેવાધિદેવ ! આપ જ્યારથી સર્વવિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર કરો છો ત્યારથી જ આપના કેશ, રોમ, નખ, દાઢી અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી." “હે નાથ ! આપની સર્વ વિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઇન્દ્રથી પ્રેરિત વજ વડે આપનાં નખાદિની ઉમ-શક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તે વૃદ્ધિ કે હાનિને પામતાં નથી." હે દયાનિધે ! કેશ આદિને વ્યવસ્થિત રાખવા એ કર્મ તો ખરી રીતે નાપિત હજામનું છે, પણ ભક્તિવશ નમ્ર બનેલા દેવોના સ્વામી ઈન્દ્ર એ કર્મ સ્વયં કરે છે, અનાથી વધુ ભક્તિ બીજી કઈ હોઈ શકે ? મહાન સમૃદ્ધિવાળા દેવતાઓ પણ જેને સ્વામી માને છે, દેવન્દ્ર પણ આ રીતે અતિ વિનમ્ર દાસભાવને ધારણ કરી આપની મહાન ભક્તિ કરે. એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ?" “હે અર્પતુ! બીજા શાસનોના અધિપતિઓ તો કેશ, રોમ, નખ, દાઢી અને મૂછથી કદર્શિત (પીડિત છે - આપના જેવો આ બાહ્ય યોગમહિમા પણ તેઓની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક યોગમહિમાથી તેઓ સર્વથા દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય જ શું છે ?" હે સ્વામિનું ! દેવેન્દ્રો પણ આપની આવી ચાકરી કરે, એ જ આપનો મહાન યોગમહિમા છે." દેવકૃત અઢારમો અતિશય ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સદા સાથે હોવું. चतुर्विधाऽमर्त्यनिकायकोटिर्जघन्यभावादपि पार्श्वदेशे' / भवनपत्यादिचतुर्विधदेवनिकायानां जघन्यतोऽपि समीपे कोटिर्भवतीति / 1. 2. અ. ચિ. કાં. 1 શ્લો. 63. અ. ચિ. કાં. 1 શ્લો. 63 સ્વો. ટી. અરિહંતના અતિશયો 237