________________ દેવકૃત સત્તરમો અતિશય કેશ, રોમ, દાઢી અને નખોની અવસ્થિતતા कचश्मश्रुनखाप्रवृद्धिः / कचानां केशानामुपलक्षणत्वात् लोम्नां च श्मश्रुणः कूर्चस्य, नखानां पाणिपादजानामप्रवृद्धिरवस्थितस्वभावत्वम् / દીક્ષા સમયથી ભગવંતનાં કેશ, રોમ, દાઢી અને હાથ-પગના નખ વધતા નથી, સદા એકસરખા રહે છે. શ્રી સમવાયાંગ સૂત્રના એક નાનકડા સૂત્રમાં આ અતિશયનું વર્ણન આ રીતે કર્યું છે - અર્થ અવસ્થિત કેશ-દાઢી-રોમ-નખો. શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશયને ચોત્રીશ અતિશયોમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. તે ઉપરથી એનું મહત્ત્વ સમજી શકાય તેવું છે. બીજા તેત્રીશ અતિશયોમાંથી ચાર જન્મ સમયથી જ હોય છે અને ર૯ કેવલજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. જ્યારે આજ એક એવો અતિશય છે કે જે દીક્ષા સમયથી નિર્વાણ પર્યત હોય છે. દેવકૃત બે અતિશયો ભગવંતના શરીર સંબંધી છે. બીજા બધા દેવકૃત અતિશયો પ્રતિશરીર દેવકૃત હોવાથી અપેક્ષાએ બાહ્ય કહેવાય પણ તે તે બાજુની પર્ષદાને તે જ ભગવંતનું સાક્ષાત્ રૂપ ભાસતું હોવાથી બાહ્ય ન પણ કહેવાય. જ્યારે આ કેશ વગેરેની અવસ્થિતતાનો સંબંધ તો સીધો જ ભગવંતના શરીર સાથે જ છે. એ અપેક્ષાએ આ એ ખ્યાલમાં રહેવું જોઈએ કે આ અતિશય દેવત છે. એટલે કે જ નહિ પણ દેવેન્દ્રકૃત છે. એ વિશે વીતરાગસ્તવમાં અને તેના વિવરણ-અવસૂરિમાં બહુ જ સુંદર વર્ણન મળે છે. ત્યાં કહ્યું છે કે - ભગવંતની સર્વ વિરતિ-સામાયિકની મહાપ્રતિજ્ઞાના અવસરે ઉપસ્થિત થયેલ 1. 2. 3. અ. ચિ. કાં. 1 ગ્લો. 63. અ. ચિં. કાં. 1 શ્લો. 13 સ્વ. ટી. પ્ર. 4 શ્લો. 7. 236 અરિહંતના અતિશયો