________________ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે - "જાણે ભયથી રસાતલમાં પેસી જવા માગતા ન હોય તેમ નીચા મુખવાળા થયેલા તીર્ણ કાંટાઓથી ભગવંતનો પરિવાર આશ્લિષ્ટ થતો ન હતો. દેવકૃત અગિયારમો અતિશય વૃક્ષોનું નમવું કુમાનંતિઃ | ભગવંત જે માર્ગે વિહાર કરતા હોય તે માર્ગની બન્ને બાજુનાં વૃક્ષો નમે છે. તે જોતાં એવું લાગે છે કે જાણે તેઓ ભગવાનને પ્રણામ કરી રહ્યાં ન હોય ! શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - | "હે જગતના શિમણિ ! વિવેકી દેવતાઓ અને મનુષ્યો આપને નમે એમાં કોઈ વિશેષતા નથી. પણ આપના વિહારમાર્ગમાં રહેલાં તરુઓ-વૃક્ષો પણ જાણે આપના લોકોત્તમ માહાભ્યથી ચમત્કારને ન પામ્યાં હોય તેમ મસ્તક વડે આપને નમન કરે છે. તે સ્વામિનું! આ નમન વડે તેઓનું મસ્તક કૃતાર્થ-સફળ છે, પણ મિથ્થામતિવાળા જે જીવો આપને નમતા નથી, તેઓનું મસ્તક વ્યર્થ છે !" ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વર્ણનમાં કહ્યું છે કે - "દૂરથી નીચા નમતા માર્ગનાં વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞા રહિત છે, તો પણ જાણે ભગવંતને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં.' દેવકૃત બારમો અતિશય દુંદુભિનાદ दुन्दुभिनाद उच्चकैः / उच्चैर्भुवनव्यापी दुन्दुभिध्वानः / 1. પર્વ 12, સર્ગ-૬, પૃ. ૨૦૪પ. 2. અ. ચિ. કાં. 1 શ્લોક. 12. 3. વી. સ્વ. પ્ર. 4, શ્લોક. 13, વીવ. એવ. 4. પર્વ 12, સર્ગ-૬, પૃ. 2045. 5. અ. ચિ. કાં. 1 ગ્લો. 62. 6. અ. ચિ. કાં. 1 શ્લો. 62. સ્વ. ટી. અરિહંતના અતિશયો 232