________________ કર્મક્ષયજ અતિશય 5, “વેરનો અભાવની વિશેષતા. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે - જન્માંતરમાં કે વર્તમાન જન્મમાં પૂર્વે બાંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળા પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે. બીજા પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિ તીવ્ર વરવાળા વૈમાનિક દેવો, અસુરો, નાગ નામના ભવનપતિ દેવો, સુંદર વર્ણવાળા જ્યોતિષ્ક દેવ, યક્ષો, રાક્ષસો, કિન્નરો, કિંપુરુષો, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દવા, ગંધર્વો અને મહોરગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યંત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે. પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - પૂર્વભવોમાં બાંધેલ અથવા જન્મજાત (ઉંદર-બિલાડી વગેરેનું) વૈર શમી જાય છે. શ્રી વીતરાગસ્તવ વિવરણ અને અવચૂર્ણિમાં કહ્યું છે કે - હે દેવાધિદેવ ! આપની નિષ્કારણ કરુણા, બીજા કોઈ પણ સાધનથી ન ગમે એવા ભવોભવ સુધી સદા પ્રજવલિત રહેનાર દુર્ધર વૈરાનુબંધોને તત્કાલ પ્રશાંત કરે છે. તે વૈરાનુબંધો સ્ત્રી સંબંધી, ભૂમિ સંબંધી, ગામ-નગર વગેરેની માલિકી અંગે, કૌટુંબિક કારણો વગેરે કોઈ પણ જાતના હેતુઓથી થયા હોય અથવા તે વૈરાનુબંધો કૌરવ-પાંડવ વગેરેની જેમ કુલના ઉચ્છેદના નિમિત્ત થતા હોય, તો પણ આપના વિહાર માત્રથી તત્કાલ શમી જાય છે.” કર્મક્ષયજ અતિશય 7, “મારીનો અભાવની વિશેષતા -- પઉમરિયમાં ઉપદેશ આપતા મુનિવર શત્રુનને કહે છે કે હે શત્રુઘ્ન ! આ તારી નગરીને વિશે મારીનો ઉપદ્રવ થશે. તું જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ ઘરે ઘરે સ્થાપિત કરાવ. અંગુષ્ઠ પ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાંથી મારી તરત જ નાશ પામશે. એમાં જરા પણ સંદેહ નથી. 1. જુઓ પરિશિષ્ટમાં પ્ર. સા. ના મૂલપાઠ. नेव भवन्ति पूर्वभवनिबद्धानि जातिप्रत्ययानि च वैराणि / - ગાથા- 886, ટીકા. 2. તારું નવરાપ ઘરે ઘરે વેવ પદમાગ ! | સર્ગ- 88, ૧૧-બ. अंगुटुपमाणावि हु जिणपडिमा जस्स होहिई घरम्मि तस्स भवणाउ मारी, नासिहिई लहु न संदेहो / - સ -9, ગ-૫૮. અરિહંતના અતિશયો 203