________________ એ જ કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તવમાં પોતાની જાત (સ્વવ્યક્તિત્વ વિશે કહે છે કે -- क्वाह पशोरपि पशुः वीतरागस्तवः क्व च ' / ક્યાં પશુ કરતાં પણ પશુ એવા છે અને ક્યાં આ વીતરાગની સ્તવના ? આવી લઘુતા જ્યારે હૃદયમાં આવે ત્યારે જ ભગવાન સાચા અર્થમાં સમજાય છે અને ત્યારે જ સર્વ શાસ્ત્રીનાં રહસ્ય હદયમાં સ્વયં પ્રકાશિત થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય જે કલિકાલસર્વજ્ઞની પદવીન વર્યા, તે સરસ્વતીના પ્રસાદથી તો ખરું જ, કિન્તુ તે કરતાં પણ ભગવાન વીતરાગની કૃપા તેઓ અધિક પામ્યા હતા, તેનું એક જ કારણ હતું કે તઓના હૃદયમાં શ્રી વીતરાગ ભગવંત પ્રત્યે અસાધારણ ભક્તિ હતી. જે તેમના રચેલા વિતરાગસ્તવમાં સ્પષ્ટ દેખાય છે. આવી વ્યક્તિ આવે ત્યારે જ અતિશય અને પ્રાતિહાર્યોની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ વીતરાગસ્તવના પ્રકાશ-ર૩-૪-પમાં. ભક્તામર સ્તોત્રમાં, કલ્યાણમંદિર સ્તોત્રમાં અને બીજા અનેક રતવામાં અંતર્ગર્ભિત છે. તે વિના આવી રચનાઓ જ અશક્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના હૃદયમાં ભગવંતના ગુણોમાં સૌથી અધિક મહત્ત્વ અતિશયો અને પ્રાતિહાર્યોનું જ હતું. તેથી જ વીતરાગ સ્તવમાં સૌથી મહત્ત્વનાં ગુણો તરીકે અતિશયો અને પ્રાતિહાર્યોને વર્ણવવા માટે પહેલા-૨-૩૪-૫ પ્રકાશ Chapters). વીતરાગ સ્તવના કુલ-૨૦ પ્રકાશમાંથી, તેઓએ અતિશયો અને પ્રાતિહાર્યોન આપી દીધા છે. જંએ પોતાને જ આખા જગત કરતાં અધિક વિદ્વાન માની લીધા છે એવા કેટલાક તાર્કિકા આ વિષયમાં પ્રશ્નોની ઝડીઓ વરસાવે છે કે - "જો ભગવંતને આવા અદ્દભુત અને મહાન અતિશયો અને પ્રાતિહાર્યો હોય, જો ભગવંત સાથે કરોડ દેવતાઓ વિચરતા હોય અને આવો અદ્દભુત ભગવંતનો પ્રભાવ હોય તો તે કાળમાં વિદ્યમાન બીજા ધર્મવાળાઓને તે કેમ ન દેખાયો ? તેઓએ પોતાના એક પણ ગ્રંથમાં તેનું જરા પણ વર્ણન કેમ ન કર્યું ? બધા જ લોકો જેન કેમ ન થઈ ગયા " વગેરે વગેરે. જો કે આવા પ્રશ્નોના ઉત્તર આપવાનું આ સ્થળ નથી, છતાં એક ઉત્તર જરૂર આપીશ કે -- શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન તાર્કિકોએ આમાંનો એક પણ તર્ક કર્યો નથી ? શું તેઓ તર્ક કરી શકતા ન હતા ? શું તેમના કરતાં પણ આજના આ વિદ્વાનોની બુદ્ધિ દોઢી (દોઢ ડાહ્યા) છે ? આવા સમર્થ આચાર્યોએ પણ પૂર્વ પરંપરાથી જેવું 1, વી, સ્ત, પ્ર. 1 ગ્લો. 7. 118 અરિહંતના અતિશયો