________________ . હે ભગવન્! આપ મણિઓ, સુવર્ણ અને રજતથી સુંદર રીતે બનાવાયેલા ત્રણ ગઢ વડે સર્વ બાજુએથી શોભી રહ્યા છો, જાણે એ ત્રણ ગઢ એટલે આપના વિશ્વવ્યાપી કાંતિ, પ્રતાપ અને યશન સંચય ન હોય ?' ત્રણ ગઢમાં ત્રણ જગત છે : દેવજગત, મનુષ્યજગત અને તિર્યંચજગત છે. સારાંશ કે દેવજગતના પ્રતિનિધિ દેવો સમવસરણમાં છે. એવી જ રીતે મનુષ્યો અને તિર્યંચો વિશે પણ જાણવું. મહાકવિ કાંતિને રત્નોના વર્ણવાળી, પ્રતાપને સુવર્ણના વર્ણવાળ અને યશને રજતના વર્ણવાળો વર્ણવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્વાભાવિક સર્વોત્તમ કાવ્યશક્તિ અહીં ઝળકી ઊઠે છે. ખરેખર જ પછી થયેલા કવિઓએ જે કહ્યું છે કે - "ગસિદ્ધસેને વા: બધા જ કવિઓ સિદ્ધસેનથી ઊતરતા છે, તે તદ્દન યથાર્થ છે. પહેલી બત્રીશીમાં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિએ કહ્યું છે કે - હે દેવ ! મારામાં કાવ્યશક્તિ છે અથવા મને બીજા કવિઓને વિષે ઇર્ષ્યા છે, માટે હું આપની સ્તુતિ નથી કરતો અથવા મારી કીર્તિ જગતમાં ફેલાય એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો અથવા આપના ઉપર કેવળ શ્રદ્ધા છે એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો, પણ મેં એ નિશ્ચિત રીતે જાણ્યું છે કે ગુણના જ્ઞાતા એવા મહાપુરુષોના પણ આપ પૂજનીય છો, માટે જ હું આપની સ્તુતિ કરું છું.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન પણ અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકામાં કહે છે કે क्व सिद्धसेन-स्तुतयो महार्थाः अशिक्षितालापकला क्व चैषा' / ક્યાં મહાન અર્થવાળી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્તુતિ અને ક્યાં આ અભણની બડબડ કરવાની કળા ? આથી બે વસ્તુઓ સમજાય છે કે - શ્રી સિદ્ધસેનસૂરિનું સ્થાન તેમની પછીના મહાનમાં મહાન કવિઓનાં હૃદયમાં પણ કેવું ઉચ્ચ હતું અને ગુણગ્રાહિતા પણ કેવી હતી ? . 8. 1, ગા, 27, 2. રાવ્યોને પરસ્પર્ધા, न वीर ! कीर्तिप्रतिबोधनेच्छया / न केवलं श्राद्धतयैव नृयसे गुणज्ञपूज्योऽसि यतोऽयमादरः / / 4 / / 3. અયોગ વ્ય. ગા. 3. - S. Dwa. 1, Stanza-4 અરિહંતના અતિશયો 27