________________ મ ધર્મ ના થાનના આવો મહિમા છે. તેમ દરેક પ્રાતિહાર્ય અને અતિશયની પાઇ' ઘણું ઘણું જાય રહેલું છે. પણ કાલાનુભાવથી તેવું સાહિત્ય આજે ઉપલબ્ધ નથી. આ બધા જ અતિશયા કે પ્રાતિહાયાનાં વર્ણનાની બીજી વિશેષતા એ છે કે લગભગ બધા જ વર્ણનામાં ક્રિયાપદા વર્તમાન કાળમાં છે. ભક્તામર વગેરે સ્તોત્રોનું અધ્યયન એ રસ્પર બતાવી આપે છે. જ્યારે ભગવત વિરાજમાન હતા. ત્યારે તો આ બધો પ્રભાવ હતો જ. પણ ત્યાર પછીના મહામુનિઓએ પણ આ પ્રાતિહાય અને અતિશયોથી સહિત જ ભગવંતનું ધ્યાન કરેલું છે. તે અનક સ્તાત્રામાં સ્પષ્ટ દેખાય છે. કેવળ ધ્યાન કર્યું છે એટલું જ નહીં, પણ તે યાનનાં ફળ પણ તે મહામુનિઓએ અનુભવ્યાં છે અને તે દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે. બધા જ વર્તમાનકાળવાચી ક્રિયાપદોમાં એ સંકેત નિહિત છે કે, ભગવંતનું ધ્યાન જાણે કે ભગવાન સાક્ષાત્ વિદ્યમાન હોય તે સ્વરૂપમાં કરવું. આવી અસ્તિતાને ધ્યાનગમ્ય અસ્તિતા કહેવામાં આવે છે, તે શાશ્વત હોય છે. અતિશયો અને પ્રાતિહાયથી સહિત અવા આદિ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ આજે પણ ભવ્યજીવોને સહાય કરવા માટે સદા તત્પર છે. અમ શું ભક્તામર સ્તોત્ર નથી કહતું ? ભક્તામર સ્તોત્ર માત્ર એટલું જ કહે છે. એમ નહીં. પરંતુ ભક્તામર સ્તોત્રની તો આ ચિરંજથી પ્રતિજ્ઞા છે. બધા જ સ્તોત્રો વગેરેમાં કયા કયા અતિશયોથી સહિત ભગવાન છે તે વર્ણન કરવા જતાં તો એક સ્વતંત્ર મહાગ્રંથ તૈયાર થઈ જાય તેમ છે. કેવળ નમૂનારૂપે અહીં આ એક અવતરણ આ ___ ततश्च उत्तप्तवर्णं समवसरणस्थं अष्टमहाप्रातिहार्यसमन्वितं चतुस्त्रिंशदतिशयोपेत अर्हद्भट्टारकं द्वात्रिंशत्सुरेन्द्रैः पूज्यमानं श्रीवर्धमानस्वामिनं अभिसंचिन्त्य गणधरावानं कृत्वा वर्धमानमन्त्रं अष्टोत्तरसहस्त्रं जपेत् / પંચ નમસ્કાર ચક્રોદ્ધાર વિધિ, | (પંચ પરમેષ્ઠિ મહામંત્ર યંત્ર ચક્ર વૃત્તિ) ન. સ્વા. પ્રા. વિ. પૃ. 221 - તે પછી અત્યંત તપાવેલ (દેદીપ્યમાન) સુવર્ણસમાન વર્ણવાળા, સમવસરણમાં વિરાજમાન. આઠ મહાપ્રાતિહાર્યોથી સહિત. ચોત્રીશ અતિશયોથી યુક્ત, બત્રીશ દેવેન્દ્રોથી પૂજાતા. અરિહંત ભગવંત શ્રી વર્ધમાન સ્વામીનું એકાગ્ર ભાવે ચિંતન કરવું, તે પછી ગણધરોનું આહ્વાન કરવું અને તે પછી વર્ધમાન મંત્રનો 1008 જપ કરવો. 110 અરિહંતના અતિશયો