________________ મહાન ! મહાન ! મહાન !!!'' આ રીતે પ્રાતિહાર્યોના સાક્ષાત્ દર્શનથી જાગેલા ભાવો વિશે પણ અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળે છે. તે બધાં સ્થળસંકોચના કારણે અહીં આપ્યાં નથી. ભગવંતના વિરહમાં પ્રાતિહાર્યોનું ધ્યાન પરમ ઉપયોગી છે. તેથી સાચા ભગવંત સમજાય છે, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે અને આત્મવિશુદ્ધિના ઉત્તરોત્તર ચડિયાતા ભાવો જાગે છે. પૂર્વાચાર્યોએ ઘણા સ્તોત્રોમાં પ્રાતિહાર્યો સ્તવ્યા છે. તે સ્તવો પણ પ્રાતિહાર્યોના ધ્યાનમાં સુંદર સાધન છે, ખાસ કરીને કલ્યાણ મંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર અને વીતરાગસ્તવમાં પ્રાતિહાર્યોનું વર્ણન બહુ જ ભાવવાહી છે. પૂર્વે શ્રી ભુવનસુંદરસૂરિનું અવતરણ આપણે વાંચી ગયાં છીએ. તેમાં કહ્યું છે કે, દેદીપ્યમાન અતિશયો અને પ્રાતિહાર્યોથી સહિત ભગવંતનું ધ્યાન ધ્યાતાને ઇતા ભાજન બનાવે છે. તે આઠ મહાપ્રાતિહાર્યોનાં નામો અનુક્રમે આ રીતે છે : પ્રથમ મહાપ્રાતિહાર્ય અશોકવૃક્ષ બીજું મહાપ્રાતિહાર્ય પુષ્પવૃષ્ટિ ત્રીજું મહાપ્રાતિહાર્ય દિવ્યધ્વનિ ચોથું મહાપ્રાતિહાર્ય ચામરો પાંચમું મહાપ્રાતિહાર્ય સિંહાસન છઠ્ઠ મહાપ્રાતિહાર્ય ભામંડલ સાતમું મહાપ્રાતિહાર્ય દુદુભિ આઠમું મહાપ્રાતિહાર્ય ત્રણ છત્ર દરેક મહાપ્રાતિહાર્યનું વર્ણન આગળ વિસ્તારથી આપેલું છે. સર્વ જીવોને પ્રાતિહાર્યો અને અતિશયોથી સહિત એવા ભગવાન તીર્થકરનાં રો!! ! દર્શન થાઓ, એ જ મંગલ કામના. - લખન 1. અહીં શ્રી મહાનિશીથ સૂત્રનું અવતરણ પૂરું થાય છે. અરિહંતના અતિશયો