________________ આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાં રહેલા રજકણ આદિ કોઈ પણ કારણોથી ભગવંતનું શરીર મેલથી તદ્દન નિર્લેપ હોય છે. જે માણસના શરીરે ઓછામાં ઓછો મેલ ચડતો હોય એવા માણસનાં શરીરને અત્યંત સ્વચ્છ કર્યા પછી તેના શરીરની જે નિર્મળતા હોય છે તેના કરતાં અનંતગુણ અધિક નિર્મળતા ભગવંતનાં શરીરની સ્વભાવથી જ હોય છે. આ અતિશયને સમજાવવા માટે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - __ निरामया निरूवलेवा गायलठ्ठी / જાયન્ટ્રી એટલે ગાત્રયષ્ટિ એટલે શરીર. તે નિરામય-રોગરહિત અને નિરૂપલેપ હોય છે. અહીં નિરૂપલેપ શબ્દ બહુ જ મહત્ત્વનો છે. તે બતાવે છે કે - કોઈ પણ કારણથી ભગવંતના શરીરને મેલનો ઉપલેપ (મેલનું બાઝવું વગેરે) થાય નહિ.' પરિષહોને અને ઉપસર્ગોને સહેવા જ્યારે ભગવાન મહાવીર અનાર્ય દેશમાં વિચરતા હતા ત્યારે ત્યાંના અનાડી માણસો ધ્યાનસ્થ ભગવંતના શરીર પર ધૂળના મોટા મોટા ઢગલાઓ કરી નાખતા. આવી સ્થિતિમાં પણ ભગવંતના શરીરને તે ધૂળનો લેશ પણ લેપ લાગે નહીં, તે આ અતિશયના પ્રભાવથી જાણવું. જેમ સર્વ જીવો જેને આત્મભૂત થઈ ગયા છે, જે સર્વ જીવોને સમ્યગ્ રીતે જુએ છે, જેણે સર્વ આશ્રવો સ્થગિત કર્યા છે અને જેણે ઇન્દ્રિયોને દમી નાખી છે, એવા મુનિના આત્માને પાપકર્મની રજ ન ચોંટે, તેમ ભગવંતના શરીરને કોઈ પણ જાતનો મેલ ચોંટી શકે નહીં. દ્વિતીય સહજાતિશય કમળસમાન સુગંધી શ્વાસોચ્છશ્વાસ શ્વાસીડબાંધ: | ભગવંતનો શ્વાસ અદ્ભુગંધ હોય છે. શ્વાસ એટલે ઉચ્છવાસ અને નિઃસ્વાસ. અન્ન એટલે કમળ, તેના જેવી છે ગંધ જેની તે અદ્ભૂગંધ. સારાંશ કે ભગવંતના ઉચ્છવાસ અને નિઃશ્વાસ બન્ને કમલસમાન સુગંધી હોય છે. જગતનાં ઉત્તમમાં ઉત્તમ કમળમાં જે સુગંધ હોય છે તેના કરતાં અનંતગુણી સુગંધ ભગવંતના ઉચ્છવાસ અને નિઃશ્વાસમાં હોય છે. એક બાજુ જગતનાં બધા જ સુગંધી પદાર્થોની સુગંધ મૂકવામાં આવે અને એક બાજુ ભગવંતના શ્વાસોચ્છવાસની સુગંધ મૂકવામાં આવે તો અન્ય પદાર્થોની સુગંધ ભગવંતની શ્વાસોચ્છવાસની સુગંધ કરતાં અનંત ગુણહીન હોય છે. 1. 1. 2. સૂત્ર-૩૪. અ. ચિ. કાં૧ શ્લો, 57. શ્વાસ:==વાસનિ:શ્વાસમ્ | - અ. ચિ. કાં. 1, ગ્લો. 57 સ્વ. 84 અરિહંતના અતિશયો