________________ ‘જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને તેમાં સૂર્યમંડલને જીતનારું ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું હતું.' આ અતિશય વિશે કેટલાક ગ્રંથોમાં મળતા 48 ગાથાવાળા ભક્તામર સ્તોત્રમાં ગાથા ૩૪મીમાં નીચે મુજબ કહ્યું છે : शुम्भत् प्रभावलयभूरिविभा विभोस्ते, लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपन्ति / प्रोद्यदिवाकरनिरन्तरभूरिसंख्या, दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् / / હે વિભો ! તમારા શોભાયમાન ભામંડલ (પ્રભાવલય)ની અતિશય તેજસ્વિતા ત્રણ જગતના ઘુતિમાન પદાર્થોની વૃતિનો તિરસ્કાર કરે છે અને અનેક પ્રકાશમાન સૂર્યોની સમાન તેજસ્વી હોવા છતાં પણ ચન્દ્રમાના કારણે સૌમ્ય એવી રાત્રિને પણ (શીતળતામાં) જીતી લે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ શોભી રહ્યું છે, જાણે રોજના નિયત (અવશ્ય થનારા) અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! કર્મક્ષયજ અતિશયો - 4 થી 11 સવાસો યોજનમાં રોગ”, વૈર", ઇતિ, મારિ, અતિવૃષ્ટિ‘, અવૃષ્ટિ, દુર્મિક્ષ9, સ્વપરચભય ન હોય. 1. મહા, નવ, પૃ. 374, 2. આ પ્રાતિહાર્યથી ગભિત મંત્ર આ રીતે છે : ॐ ह्रीं भामण्डलप्रातिहार्यप्रभास्वते श्रीजिनाय नमः / - જુઓ કલ્યાણ મંદિર સ્તોત્ર ગા. 24 મહા. નવ, પૃ. 475 ભામંડલ પ્રાતિહાર્યના ધ્યાનથી શત્રુ સૈન્ય પર વિજય મળે છે, સર્વત્ર જય થાય છે અને પ્રતાપ વધે છે, એવું ભામંડલ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તોત્રોની ગાથાઓનાં વિધિ વિધાનો જોતાં સ્પષ્ટ થાય છે. તિલોય પણત્તિમાં આ ભામંડલની એક અનોખી વિશેષતા દશ વિવાહમાં આવી છે, તે આ રીતે --- ‘દર્શન માત્ર થતાં જ સર્વ લોકોને સેંકડો ભવોનું જ્ઞાન (જાતિ સ્મરણ જ્ઞાન) કરાવનારું અને કરોડો સૂર્યો સમાન ઉજ્વલ એવું શ્રી તીર્થકર ભગવંતોનું ભામંડલ જયવંતુ વર્તે છે.' - ચતુર્થ મહાધિકાર 3. સર્ગ-૩૦, પૃ. 312 4 11, આ વસ્તુઓના અભાવને તે તે અતિશય ક્રમશઃ જાણવો. દા.ત. 4 = ચોથો કર્મક્ષયજ અતિશય રોગનો અભાવ. 200 અરિહંતના અતિશયો