________________ ભામંડલના વર્ણનમાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - इसि पिठ्ठओ मउडठाणंमि तेयमंडलं अभिसंजायइ, अंधकारे वि य णं दसदिसा पभासेइ' / ભગવંતના મસ્તકની બહુ જ નજીક પાછળના ભાગમાં તેજમંડલ-પ્રભાઓનું વર્તુળ ઘાતિકર્મનો ક્ષય થતાં જ સમુત્પન્ન થાય છે. તે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે. ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે કે : ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યોની કાંતિથી પણ અધિક તેજસ્વી અને મનોહર એવું ભામંડલ હોય છે. ભામંડલ એટલે પ્રકાશના પંજનો ઉઘાત. વર્ધમાનદેશના'માં કહ્યું છે કે - रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्धं / तो पिंडिऊण तेअं. कुणंति भामंडलं पिट्टे / / ભગવંતનું રૂપ અતિ તેજસ્વી હોય છે, તેથી જોનારાઓને તેનું દર્શન અતિદુર્લભ ન થઈ જાય, તે માટે તે સર્વ તેજનો પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ ભામંડલ રૂપે રહે છે. તેથી ભગવંતનું દર્શન કરવાની અભિલાષાવાળા જીવો ભગવંતને સુખે સુખે જોઈ શકે છે - ભગવંતની સામું જોઈ શકે છે. આ વિષયમાં શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું છે કે - હે મુનિજન શિરોમણિ જિનદેવ ! આપના મસ્તકની પાછળ તેજમાં સૂર્યમંડળને પરાજિત કરતું એવું ભામંડલ દેદીપ્યમાન છે. આ ભામંડલ એ આપનો ઘાતિકર્મક્ષય સહચરિત અતિશય છે, છતાં જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય અને સકલ જનને જોવાલાયક શરીર અતિ તેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય !' પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે - ભગવંતના મસ્તકની પાછળ તેજસ્વિતામાં બાર સૂર્યોના તેજને જીતતું એવું ભામંડલ હોય છે. તેનો ઉદ્યોત-પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. આ અતિશયનું વર્ણન કરતાં ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં કહ્યું છે કે - 1. સૂત્ર-૩૪, અતિશય-૧૨, પ્રત પૃ. 59 60. 2. વી. સ્વ. પ્ર. 3, શ્લો. 11. વિવ. અવ. 3. अतिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतद्वादशार्कतेजाः प्रसरति भामण्डलस्य प्रमापटलस्योद्योतः / બા. 464 ટીડા, 1. પર્વ 1 2, સર્ગ-૬, પૃ. 200 5. હિંતના અતિશયો