________________ ભગવંતની વાણી રૂપ અતિશયોથી સહિત હોય છે. આમાંનો એક પણ અતિશય બીજા કોઈની પણ વાણીમાં હોતો નથી. પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે અતિશય તેને જ કહેવાય કે જે ગુણ તેની પરાકાષ્ઠાએ ફક્ત ભગવંતમાં જ હોય, બીજા કાર્યમાં પણ તે ગુણ હોય તો તે ભગવંત કરતાં અનંતગુણ હીન જ હોય અને બીજા કોઈમાં પણ તે ગુણ ઉત્તમ કક્ષાએ હોય તો પણ તેના કરતાં પણ ભગવંતમાં અનંતગુણ અધિક જ હોય. દા.ત. ભગવંતની વાણીનો પ્રથમ અતિશય-ગુણ સંસ્કારવત્ત્વ. જેવા ઉત્તમ સંસ્કારોવાળી વાણી ભગવંતની હોય છે, તેવી બીજા કોઈની પણ હોતી નથી. ઉત્તમ કેળવણી પામેલ માણસની ભાષા સંસ્કારવાળી હોય છે, એટલે કે તે ભાષા વ્યાકરણ આદિના નિયમાથી શુદ્ધ હોય છે અને સભ્યતા, સંસ્કારિતા વગેરેને સૂચવનારી હોય છે. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારવાળી ભાષા બોલનાર માણસની ભાષાની સંસ્કારિતા કરતાં ભગવંતની વાણીની સંસ્કારિતા અનંતગુણ અધિક હોય છે. અર્ધમાગધી ભાષા તા બોલનારા ઘણા હોય છે, પણ ભગવંતની જેવી પરમ સત્ય. પરમ સુંદર અને પરમ કલ્યાણકારી અર્ધમાગધી ભાષા તો ભગવંત જ બોલે છે. આ વાણીના 35 અતિશયાને શ્રી સમવાયાંગ સૂત્ર વગેરેમાં સત્ય વચનના અતિશય તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે - પતિ સવારૂસા | - સત્યવચનના 35 અતિશેષ છે - અતિશયો છે. શ્રી અભિધાન ચિંતામણિ'માં કહ્યું છે કે - અથ વચનાતિયાન કાર - ‘હવે વચનાતિશયો કહે છે,' એમ કહીને પ્રથમ કાંડ શ્લો. 65 ૭૧માં 35 વચનાતિશયોનું વર્ણન છે. એ શ્લોકની ટીકાના ઉપસંહારમાં કહ્યું છે કે - इत्येवमर्हतां पञ्चत्रिंशद्वाचां गुणा अतिशया भवन्तीति / આ રીતે અરિહંતોની વાણીના 35 ગુણો-અતિશયો હોય છે. 35 વચનાતિશયોનું વર્ણન શ્રી સમવાયાંગ સૂત્ર (સૂત્ર-૩૫), શ્રી અભિધાન ચિંતામણિ વગેરે અનેક ગ્રંથોમાં મળે છે. તે સામાન્યથી આ રીતે છે : 1. સંસ્કારવન્તઃ સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુકન ( ર ; } 1. સ્વો, ટી. બ્લો. 65. 2. દેવાધિદેવકાંડ, લો. 65 71 3. આ નામો શ્રી અભિધાનચિંતામણિના આધારે અહીં આપ્યા છે. આ પ ારા ભગવંતના વચનના છે. અરિહંતના અતિશયો