________________ જગતમાં ઉત્તમમાં ઉત્તમ સુગંધી કોઈ વસ્તુ હોય તો તે ભગવંતનો ઉચ્છવાસ અને નિઃશ્વાસ છે, જ્યારે ભગવંત વિહરમાન હોય છે ત્યારે સુગંધના સાચા રસિક એવા ભમરાઓ જે જે પુષ્પ પર લીન થઈને બેઠેલા હોય તે તે બધાં જ પુષ્પોને તત્ક્ષણ તજી તજીને ભગવંતના શ્વાસોચ્છવાસને અનુસરે છે. શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ-૨, શ્લોક-૭માં કહ્યું છે કે - હે ભગવન્! આપના નિઃશ્વાસની સુરભિતા ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે - જલમાં ઉત્પન્ન થયેલાં પુંડરીક આદિ કમળો તેમ જ ભૂમિ પર ઉત્પન્ન થયેલા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી વગેરે પુષ્પોને તત્કાલ તજીને સુગંધરસિક ભમરાઓ આપની નિઃશ્વાસની સુરભિતાને અનુસરે છે. તૃતીય સહજાતિશય ગાયના દૂધની ધારા સમાન ધવલ (દ્વૈત) દુર્ગધ વિનાના માંસ અને રક્ત रुधिरामिषं तु गोक्षीरधाराधवलं ह्यविस्रम् / તે તીર્થકર ભગવંતના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં ધવલ-બ્ધત-સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે. - ભગવંતના રૂ૫, લાવણ્ય, બલ, સર્વ કળા - નૈપુણ્ય, દાન, ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઇન્દ્રધ્વજ , ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણો તો સર્વ જગત કરતાં વિલક્ષણ છે જ; આ બધા ગુણો અલ્પ પ્રમાણમાં બીજાઓમાં પણ હોય છે, જ્યારે ભગવંતનાં માંસ અને રક્તની જે ધવલતા અને અદુર્ગધતા છે, તે તો કોઈનાં પણ માંસ અને રક્તમાં હોતી જ નથી. તાત્પર્ય કે રક્તમાંસની ધવલતા અને અદુર્ગધતા સો સો ટકા ફા તીર્થકર ભગવંતના શરીરમાં જ હોય છે. રક્ત અને માંસ કેવળ અદુર્ગધી જ હોય છે, એટલું જ નહીં, પણ પરમ પરિમલ-સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓનાં રક્ત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવંતનાં રક્ત માંસ અજુગુપ્સનીય નફરત ન.પેદા કરે તેવાં હોય છે. કેવળ અજુગુપ્સનીય જ નહિ પરંતુ જોવો ગમે તેવાં અને આશ્ચર્ય પમાડે તેવાં હોય છે. ભગવંતના પગે ચંડકૌશિક સર્પ હસ્યા તો ખરી, પણ જ્યાં ભગવંતના પગમાંથી નીકળતું ગાયના દૂધની ધારા સમાન શ્વેત રક્ત જોયું, ત્યાં તો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. કોઈ પણ જીવમાં જોવા ન મળે એવું, સફેદ લોહી તેણે જોયું. ભગવંતના લોહીનું દર્શન કરનાર એ જ એક ભાગ્યશાળી જીવ હતો ! બીજા કોઈએ પણ ભગવંતના દેહનાં 1. અ. ચિ. કાં. 1 શ્લો. 57. અરિહંતના અતિશયો