________________ અવસ્થારૂપ વીતરાગતા અને કેવલજ્ઞાનરૂપ સર્વજ્ઞતા બધામાં સમાન છે. તેમાં તરતમતા નથી, છતાં વિશેષગ્રાહી નયોની અપેક્ષાએ ભગવંતના રાગદ્વેષજયને અપાયાપગમાતિશય કહેવામાં આવે છે. અર્થાત્ રાગદ્વેષરૂપ અપાયનો (આત્માને હાનિકારક વસ્તુનો) જે અપગમ-નાશ ભગવંતમાં થયેલ છે, તે અતિશય છે, કારણ કે ભગવંતનાં સન્નિધાનમાં બીજાઓના પણ અપાયો દૂર થાય છે. અતિશય એટલે બીજા બધા કરતાં અનંત ગુણ ચડિયાતો ગુણ. એ અપેક્ષાએ ભગવંતની વીતરાગતા તે કેવળ વીતરાગતા જ નથી પણ તે અપાયાપગમ અતિશય છે, અર્થાત્ ભગવતમાં જે વીતરાગતા છે, તે બીજા વીતરામ આત્માઓ કરતાં અનંતગુણ ચડિયાતી છે. ભગવાન તીર્થકર તે ભગવાન તીર્થકર જ છે. તેમના જેવા :- + પીજી કોઈ વસા નથી, થતા નથી અને થવાના પણ નથી. ભગવંતનો પ્રત્યેક ગુણો . ' , , , કેજર વસ્તુ છે. તેની સમાનતા અન્ય કોઈ પણ આત્માદિમાં કદાપિ હા - કે નહી. તો પછી અધિકતા તો હોઈ જ ક્યાંથી શકે ? બધા સિદ્ધ સરખા હોવા છતાં ઘી લોગસ્સ સૂત્ર - ને નો ઉત્તમ સિદ્ધા એમ કહીને તીર્થકર ભગવંતોને લોકમાં ઉત્તમ એવા સિદ્ધ ' કહે છે. આ બધાં જ કથન વિશેષગ્રાહી નયનાં જાણવાં. સામાન્ય પ્રા. યોની અપેક્ષાએ બધાં જ વીતરાગ જીવોમાં વીતરાગતા સમાન હોય છે. શ્રી જિ. ભારતની મને વરતમાત સામાન્ય- વિશેષ ઉભયાત્મક હોય છે. એ જ અપેક્ષાએ ભગવંતના જીવની ભોગોમાં રતિ કે રાજ્યપાલન વગેરે અવસ્થામાં પણ લોકોત્તર હોય છે. તે બધી જ અવસ્થાઓમાં ભગવંત લોકોત્તર વૈરાગ દ્વારા કર્મને ક્ષય જ કરતા હોય છે. ભગવંતના વૈરાગ્ય વિશે શ્રી વીતરાગસ્તવમાં નીચેની વસ્તુઓ બહુ જ મહત્વની કહી છે : 1. ભગવંતને છેલ્લા જન્મમાં જન્મથી જ સહજ વૈરાગ્ય હોય છે. 2. ભગવંત મોક્ષના ઉપાયોને વિશે સદા કુશળતાપૂર્વક પ્રવૃત્તિશીલ અને સુખ અને સુખના હેતુઓમાં પણ સદા વૈરાગ્યવાળા હોય છે. 3. ભગવંતનો વૈરાગ્ય વિવેકપૂર્ણ હોય છે. 1. जगतोऽप्यतिशेरते तीर्थंकरा एभिरित्यतिशयाः / આ ગુણો વડે તીર્થકરો જગતના બધા જ જીવો કરતાં ચડિયાતા હોવાથી આ ગુણો અતિશય કહેવાય છે 2. પ્રકાશ 12. CO અરિહંતના અતિશયો