________________ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે - પોતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણ રૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તા દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની' ! એવી રીતે ભગવંતનાં સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, સાર, શ્વાસ વગેરે સર્વ લોક કરતાં અત્યંત (અનંતગુણ) ઉત્તમ હોય છે. તેનું કારણ એ છે કે તે ભગવંતને તેવા પ્રકારના વિશિષ્ટ નામકર્મનો ઉદય વર્તતો હોય છે. વજઋભિ નારાચ નામનું સંઘયણ બધા પ્રથમ સંઘયણવાળા જીવોમાં અમુક અપેક્ષાએ સમાન હોવા છતાં, તેમાં પણ તારતમ્ય હોય છે. સંપૂર્ણ વિશ્વમાં ભગવંત જેવું સમચતુરસ્ત્ર સંસ્થાન બીજા જીવોનું હોતું નથી. એવી જ રીતે ભગવંતના શરીર જેવો શ્વેત આદિ વર્ણ બીજા જીવોના શરીરમાં કદાપિ હોતો નથી. એવી જ રીતે ભગવંત જેવી ગતિ, ભગવંત જેવું સત્ત્વ, ભગવંત જેવો સાર (બલ) વગેરે બીજા જીવોમાં કદાપિ હોતાં નથી. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે - “અનેક જન્મોમાં સંચિત કરેલ સર્વશ્રેષ્ઠ પુણ્યાતિશયના પ્રભાવથી ભગવંતમાં અતુલ બલ, વીર્ય, ઐશ્વર્ય, સત્ત્વ, પરાક્રમ વગેરે હોય છે.' 1, સર્વસુરા ન વં કૃપમાનવ વિશ્વેજ્ઞા . जिणपादंगुठं पइ न सोहए तं जहिंगालो / / 569 / / - આવ. નિ. હારિ. 2, સંપથUવસંદા વિUTVIફસત્તસાર સાસા | एमाइ अणुत्तराई भवंति नामोदया तस्स / / 572 / / - આવ. નિ. હારિ. ગા. 572 દિગંબર જન્મથી 10 અતિશય માને છે. તે આ રીતે - 1. સ્વદરહિતતા, 2. નિર્મલશરીરતા, 3. દૂધ જેવું શ્વેત રુધિર, 6. વજઋષભનારાચ સંઘયણ, 5. સમચતુરસ સંસ્થાન, 7. અનુપમ રૂપ, 7, નૃપચંપકપુષ્પની ગંધરામાન ઉત્તમ ગંધને ધારણ કરવી, 8. 1008 ઉત્તમ લક્ષણ, 9. અનંતબલ અને 10. હિત, મિત અને મધુર ભાષણ. (જૈ. સિ. કો. પૃ. 141), આમાં અતિશય-૧, 2, 3, 6 અને ૭નું વર્ણન અભિધાન ચિંતામણિમાં દર્શાવેલ ચાર સહજાતિશયોનાં વર્ણનમાં સમાઈ જાય છે. વીતરાગ સ્તવની પ્ર. 5, શ્લો. 9 અવચૂર્ણિમાં કહ્યું છે કે - नन्वतिशयाश्चतुस्त्रिंशदेव ? न, अनन्तातिशयत्वात्, तस्य चतुस्त्रिंशत् संख्यानं बालवबोधाय / શું અતિશય ચોત્રીસ જ છે ? ના, અતિશયો તો અનંત છે, ચોત્રીસ સંખ્યા તો બાલ જીવોના સુબોધાર્થે શાસ્ત્રોમાં કહેવામાં આવી અવચૂર્ણિના આ ઉલ્લેખના હિસાબે દિગંબરમાન્ય તે દર્શાદશને અતિશય કહેવામાં જરા પણ બાધ નથી. અરિહંતના અતિશયો 77