________________ ઉપરથી કરોડો લોકો ગમનાગમન કરવા છતાં, પીડા થતી નથી, એટલું જ નહીં, પણ પુષ્પો સમુલ્લાસ અનુભવે છે, તે કેવળ ભગવંતનો જ પ્રભાવ છે. દેવતાઓ પપ્પાની આ બાધારહિતતા અને સમુલ્લસિતતા કદાપિ સર્જિત ન કરી શકે. ભગવંતના પ્રભાવથી આ પુષ્પવૃષ્ટિ સૌને માટે જેવું સુખમય વાતાવરણ સર્જે છે, તેવું વાતાવરણ દેવતાઓ ત્રણે કાળમાં પણ ન નિર્માણ કરી શકે. શ્રી આત્મારામજી મહારાજ સત્તરભેદી પૂજામાં ગાય છે કે - ताप हरे तिहुं लोक का रे, जिन चरणे जस डेरा / શ્રી જિનેશ્વર ભગવંતના ચરણે જે પુષ્પોનો આશ્રય છે, તે પુષ્પો - તે પુષ્પવૃષ્ટિ ત્રણે લોકના તાપને (દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના તાપને) હરે છે. વિશિષ્ટ વાતાવરણને સર્જવા માટે બધી જ વસ્તુઓ જરૂરી હોય છે. ભગવંતની દેશનાને શ્રવણ કરનારા જીવોના હૃદયમાં, જીવોનાં શરીરમાં અને બાહ્ય વાતાવરણમાં શ્રવણ માટેની સંપૂર્ણ યોગ્યતા જે ઉત્પન્ન થવી જોઈએ, તેના માટે સાક્ષાત્ ભગવાન, બધા જ પ્રાતિહાર્યો, બધા જ અતિશયો, તેવા પ્રકારની પર્ષદા, તેવું સમવસરણ વગેરે બધું જ જરૂરી હોય છે. દરેક વસ્તુની પોતપોતાનાં સ્થાને મહત્તા છે. જેમ ઘડિયાળમાં દરેક ભાગની પોતપોતાનાં સ્થાને મહત્તા હોય છે, તેમ જ સમગ્ર ઘડિયાળની અપેક્ષાએ પણ તેનું મહત્ત્વ હોય છે તેમ અહીં પણ જાણવું. લોકપ્રકાશમાં કહ્યું છે કે - ભગવંતનું તે અદ્ભુત રૂપ જગતના સર્વ જીવોની વાણીનો અવિષય છે. સારાંશ કે જગતના બધા જ જીવો ભગવંતનાં રૂપને વાણી વડે વર્ણવવા જાય તો પણ તે રૂપનું સર્વાગ સંપૂર્ણ વર્ણન થઈ શકે નહીં. શ્રી ભક્તામર સ્તોત્રમાં રૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે - यः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत / तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपरं न हि रूपमस्ति / / 12 / / ત્રણે ભુવનના અદભુત તિલકરૂપ (સર્વોત્તમ રૂપવંત) હે ભગવંત ! શાંતરસની શોભાવાળા જે પરમાણુઓ વડે આપ નિર્માણ કરાયા છો, તે પરમાણુઓ વિશ્વમાં ખરેખર તેટલા જ છે, કારણ કે આપના જેવું રૂપ જગતમાં બીજું નથી જ. 1 તાદશાડ્યાáતાં રૂ–જીલ્લાવામા રાત્ aa - કાલલોક, સર્ગ. 30, પૃ. 304, ગ્લો. 908. 80 અરિહંતના અતિશયો