________________ પ્રતિહારનો બીજો અર્થ દ્વાર, દરવાજો, બારણું વગેરે પણ થાય. પાફકસમદUUવો માં પ્રાતિહાર્ય શબ્દનો અર્થ આ રીતે કરવામાં આવ્યા છે. 1. દેવતાકૃત પ્રતિહાર કર્મ, 2. દેવસાંનિધ્ય. માટે રચ્યા છે કે આ પ્રાતિહાર્યો જગતના લોકોને સ્વામી પાસે લઈ આવે - એટલે કે જગતના લોકોને એ સુવિદિત થાય કે આ ‘ત્રિભુવન રાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન શ્રી અરિહંત પરમાત્મા છે, તેથી ઉપાસ્યતમ છે.' જેમ રાજાના છત્ર, ચામર, સિંહાસન વગેરે રાજચિહ્નો હોય છે, તેમ ત્રિભુવનરાજરાજેશ્વર દેવાધિદેવ ભગવાન તીર્થંકરનાં 15 છત્ર', અનેક દેવો વડે વીંઝાતા ચામરો, ચાર સિંહાસનો વગેરે લોકોત્તર રાજચિહ્નો છે. જેમ છત્ર, ચામર, સિંહાસન વગેરે ચિહ્નો રાજાના અસ્તિત્વને કહેનારા પ્રાતિહાર-છડીદાર જેવાં છે, તેમ અશોક વૃક્ષ વગેરે આઠ પણ પ્રતિહારનું કાર્ય કરતા હોવાથી ભગવંતના અસ્તિત્વના સૂચક એ અપેક્ષાએ જ લોકપ્રકાશમાં પ્રથમ પ્રાતિહાર્ય અશોક વૃક્ષનું વર્ણન કરતાં કહ્યું છે કે : અત્યંત શોભાવાળો અશોક વૃક્ષ એક યોજન વિસ્તૃત હોય છે. તેના ચંચલ (હાલતાં) નવકોમળ પાંદડાં જોતાં એવું લાગે છે કે : તે હાથના અગ્રભાગ વડે ભવ્ય જીવોને સમવસરણમાં વિરાજમાન અથવા વિહાર વગેરેથી ભૂમિકલને પાવન કરતા શ્રી જિનેન્દ્ર પરમાત્માની પાસે આવવા જાણે આમંત્રણ ન આપતો હોય ! દેવતાઓ એક એવો અશોક વૃક્ષ બનાવે છે, એક એવી પુષ્પવૃષ્ટિ કરે છે, એવા વાજિંત્રનાદો ભગવંતની વાણી સાથે સુરબદ્ધ કરે છે, એવી રીતે ચામરો વીંઝે છે, એવું સિંહાસન રચે છે, સમવસરણમાં એવા ત્રણ ભામંડલ રચે છે, આકાશમાં એવો દુંદુભિનાદ કરે છે અને એવાં ત્રણ છત્ર રચે છે કે જગતમાં કોઈ પણ દેવેન્દ્ર કે ચક્રવર્તી માટે પણ ત્રણે કાળમાં કદાપિ ન રચાયાં હોય. આ બધી વસ્તુઓને જોતાં જ ભવ્ય જીવોને એમ થઈ જાય છે કે - 1. ચાર દિશામાં 3-3 અને ઊર્ધ્વ દિશામાં 3 એમ 15. અન્નમસ્કારાવલિકામાં કહ્યું છે કે - નમો પંજીયાસોદિગા રિહંતા - પંદર છત્ર રત્નોથી સુશોભિત અરિહંતોને નમસ્કાર. - ન. સ્વા. પ્રા. વિ. પૃ. 190. 2. અશોક વૃક્ષ: શ્રીજો ભવેત્ યોગનવિસ્તૃત: | રાલ્વત્રિવ - લોક. પ્ર. સ. 30, પૃ. 312. અરિહંતના અતિશયો 67