________________ આ ગ્રંથમાં જે ચોત્રીશ અતિશયો અને આઠ મહાપ્રાતિહાર્યો વિસ્તારથી વર્ણવ્યા છે, તે બધા જ આ ચાર મૂલાતિશયોમાં સમાઈ જાય છે. તે આ રીતે - કર્મલયજ અતિશયો નં. 1 અને 411 અપાયાપગમ અતિશયમાં, કર્મક્ષયજ અતિશય નં. 2 વચનાતિશયમાં તથા દેવકૃત ઓગણીસ અતિશયો અને આઠ મહાપ્રાતિહાય પૂજાતિશયમાં સમાઈ જાય છે. શાસ્ત્રોમાં જ્યાં અરિહંતના ચાર ગુણ કહ્યા હોય ત્યાં ચાર મૂલાતિશય અને બાર ગુણ કહ્યા હોય ત્યાં 8 મહાપ્રાતિહાર્યો અને 4 મૂલાતિશયો જાણવા. 1. અનેકાંત જય પતાકા, મંગલાચરણ સ્વ. વિવરણ. 2. बारस गुण अरिहंता, सिद्धा अद्वेव सूरि छत्तीसं / उवझाया पणवीसं, साहू सगवीसं अट्ठसयं / / અરિહંતના અતિશયો 47