________________ ગણાવવામાં આવે ત્યારે પ્રશ્ન એ ઊભાં થાય છે કે અશોક વૃક્ષ તો દેવનિર્મિત એક વૃક્ષ છે, તે ભગવંતનો ગુણ કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ સર્વ શાસ્ત્રોનું રહસ્ય રહેલ છે. અરિહંતના જ્યાં 12 ગુણ કહેવામાં આવેલ છે, ત્યાં ગુણનો અર્થ લક્ષણ-ગુણો લેવાનો છે, એટલે કે આ 12 ગુણ તે ભગવંતનાં 12 લક્ષણ છે. આ 12 લક્ષણ કેવળ અરિહંતમાં જ હોય, સિદ્ધ આદિ અન્ય પરમેષ્ઠિઓમાં પણ તે ન હોય તો પછી બીજા જીવોમાં તે હોવાની વાત જ ક્યાં રહી ? અરિહંતને કેવલજ્ઞાન પ્રગટ થતાં જ આ બાર ગુણો પ્રગટ થાય છે અને નિર્વાણ સુધી કાયમ રહે છે. તિજયપહત્ત સ્તોત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે કે - 'तिजयपहुत्तपयासय - કૃમદા ડિરજુત્તાઈi i' ‘ત્રણે જગતના પ્રભુત્વના પ્રકાશક આઠ મહાપ્રાતિહાર્યોથી યુક્ત - જિનેન્દ્રો..” આ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે - આ આઠ પ્રાતિહાર્યોનું સૌથી પ્રથમ પ્રયોજન એ છે કે ભવ્ય જીવો આ આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા એ જાણે કે આ તીર્થકર ભગવંત જ ત્રણ જગતના પ્રભુસ્વામી છે. “જેને આઠ પ્રાતિહાર્યો ન હોય તે ત્રણે જગતના પ્રભુ નહિ', એવી વ્યતિરેક વ્યાપ્તિ વડે અને જેને “આઠ પ્રાતિહાર્યો હોય તે જ ત્રણે જગતના પ્રભુ', એવી અન્વય વ્યાપ્તિ વડે ભગવંતનું ત્રિભુવનસ્વામિત્વ સિદ્ધ થાય છે. ભગવંત જ્યારે સાક્ષાતુ વિદ્યમાન હતા, ત્યારે તો ભવ્ય જીવો એ લક્ષણો દ્વારા ભગવંતને ઓળખતા હતા કે, “આ જ જગતના સાચા ભગવાન દેવાધિદેવ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન તીર્થકર છે.” ભગવંત પર દૃષ્ટિ પડતાં જ ભવ્ય જીવોના આત્મામાંથી પાપjજો ખરી પડતા હતા અને પુણ્યાનુબંધિ પુણ્યના પરમ પુજો તેઓના આત્મામાં ખડકાતા હતા. એ રીતે એ જીવો કલ્યાણ સાધતા હતા, પણ આજે જ્યારે ભગવંત સાક્ષાત્ વિદ્યમાન નથી, ત્યારે આ ગુણોનો કોઈ ઉપયોગ ખરો ? હા, આ બાર ગુણોનું સતત ધ્યાન કરી જુઓ. આ બારે ગુણોને બરોબર સમજીને તે 1. મહા. નવ. પૃ. 258. 2. તર્કશાસ્ત્રોમાં ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ', આ વિધાનને અન્વય વ્યાપ્તિ કહેવામાં આવે છે તથા જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધુમાડો પણ ન જ હોય', આવા નિષેધાત્મક કથનને વ્યતિરેક વ્યાપ્તિ કહેવામાં આવે છે. આથી સાધ્યના અનુમાનની સિદ્ધિ થાય છે. વિશેષ માટે જુઓ, ન્યાય સિદ્ધાંત મુક્તાવલી, અનુમાન ખંડ. અરિહંતના અતિશયો