________________ ભગવંતનો જ, કારણ કે ભગવંતના પ્રભાવ વિના સર્વ દેવતાઓ મળીને એક અંગૂઠો પણ ન રચી શકે, જ્યારે ભગવંતના પ્રભાવથી એક જ દેવતા સંપૂર્ણ ત્રણ રૂપ રચી શકે છે. બધા જ દેવતાઓમાં ભગવંતના અંગૂઠા જેવો એક અંગૂઠો પણ બનાવવાની શક્તિ નથી, પણ ભગવંતના અચિંત્ય તીર્થકર નામકર્મરૂપ મહાપુણ્યના ઉદયથી પ્રેરાયેલ એક જ દેવતામાં ત્રણ ત્રણ રૂપ રચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. બધા જ દેવત અતિશયોને આ વાત લાગુ પડે છે. ભગવંતના પ્રભાવને-અતિશયને બાદ કરીએ, તો 19 માનો એક પણ અતિશય દેવતા ન રચી શકે. કદાચ કોઈ માયાવી દેવતા કે પુરુષ તેની નકલ કરવાની કોશિશ કરે તો પણ તે ભગવંતની ઋદ્ધિથી અનંતગુણહીન ઋદ્ધિવાળું જ બને. એ જ રીતે ભગવંતનું સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, શ્વાસોચ્છવાસ વગેરે બધું જ અનુત્તર હોય છે, કારણ કે તેવા વિશિષ્ટ પ્રકારના નામકર્મનો ઉદય અન્ય જીવોને કદાપિ હોતો નથી. વજ-ઋષભ-નારાજ નામનું પહેલું સંઘયણ સામાન્યથી પહેલા સંઘયણવાળા બધા જીવોનું ભલે સરખું હોય, પણ તેમાં પણ તારતમ્ય હોય છે. તેમાં તીર્થંકર ભગવાન જેવું સંઘયણ કોઈનું પણ હોતું નથી. જેનું બળ, રૂપ, સત્ત્વ વગેરે બધું જ બીજા જીવો કરતાં અત્યંત જુદી જ જાતનું હોય, તેનું સંઘયણ પણ કેમ જુદું ન હોય ? વિશિષ્ટ સર્વોત્તમ સંઘયણ વિના જન્મથી જ તેઓ અનંતબલી કેવી રીતે હોઈ શકે ? અતિશયનો અર્થ જ એ છે કે તે વસ્તુ જગતમાં શ્રી તીર્થકર ભગવાન સિવાય કોઈની પાસે હોય નહીં. ભગવાનની ગેરહાજરીમાં બધા જ દેવતાઓ એકત્ર થાય અને ભગવંતના અશોક વૃક્ષ જેવું વૃક્ષ બનાવવા માગે, તો પણ ત્રણે કાળમાં કદાપિ ન જ બનાવી શકે. જે વૃક્ષ તેઓ બનાવે, તે નકલી વૃક્ષ અસલીની તુલનામાં ક્યાંથી આવી શકે ? 1. ને તે રેસિં , તિતિ પાવII તરસ | तेसिपि तप्पभावा, तयाणुरूवं हवइ रूवं / / - વિશેષ, ભા. 2, ગા. 447 (ટિપ્પણી) - આવ. મલય. નિયુક્તિ ગા. 557 આમાં ટીકામાં તણખાવ નો અર્થ તીર્થભાવાત્ એમ કરેલ છે, દેવતાઓએ ભગવંતના જે ત્રણ પ્રતિરૂપ ત્રણ દિશાઓમાં કરે છે, તે પ્રતિરૂપોનું રૂપ ભગવંતના પ્રભાવથી ભગવંત જેવું જ થાય છે. संघयणरूवसंठाणवण्णइसत्तसारऊसासा / एमाइ अणुत्तराई भवंति नामोदया तस्स / / - આવ. હરિ. નિયુક્તિ ગા. 571. - આવ. મલય. નિયુક્તિ ગા. 571. પ૬. અરિહંતના અતિશયો