________________ “સવિશેષ-પદ-સમ્પત્તિ સમન્વિતાર' પદનો પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે “સર્વ અતિશેષક (અતિશયો) રૂપ મહાસંપત્તિથી યુક્ત.' અહીં પણ અતિશેષ શબ્દનો પ્રયોગ છે. સંસ્કૃતમાં જ સ્વાર્થમાં લાગે છે, એટલે કે અતિશષક કે અતિશેષ બંને એક જ અર્થવાળા છે. પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો જ છે. પૂર્વે કહેલ વ્યાખ્યામાં મહત્ત્વનો પદાર્થ એ છે કે - નતોડતત્તે..” સંપૂર્ણ જગત કરતાં ચડિયાતા. આના બે અર્થ થાય : 1. જગતના કોઈ પણ જીવ કરતાં ચડિયાતા અને 2. જગતના બધા જ જીવો કરતાં ચડિયાતા. આમાં પહેલો અર્થ સરલ અને પ્રચલિત હોવાથી, તે અંગે સમજાવવાની જરૂર રહેતી નથી. બીજો અર્થ સૂક્ષ્મ અને ગંભીર છે. ભગવંતના અલૌકિક રૂપનું જ દૃષ્ટાંત આપણે લઈએ. ખરી રીતે તે કેવળ રૂપ નથી, પણ રૂપાતિશય છે. જગતના બધા જ દેવતાઓ એકત્ર થાય અને સર્વે મળીને પોતાની સર્વ શક્તિ વડે ભગવંતના પગના અંગૂઠા જેટલું જ રૂપ વિકુર્વે, તો પણ ભગવંતના અંગૂઠાના સૂર્ય જેવા તેજની તુલનામાં તે દેવવિમુર્વિત રૂપ બુઝાવાની તૈયારીમાં હોય તેવા અંગારાના રૂપ જેવું ભાસે, ક્યાં ભગવંતનો સ્વાભાવિક દદીપ્યમાન અંગૂઠો અને ક્યાં તે દેવવિકુર્વિત નકલી અંગૂઠો ? ભગવંત જેવું રૂપ જગતમાં કોઈનું પણ ન હોય એટલું જ નહીં કિન્તુ સર્વ જીવોના સુંદર રૂપનો એક પિંડ બનાવવામાં આવે, તો પણ તે ભગવંતના પગના અંગૂઠાના તેજની આગળ નિસ્તેજ અંગારાના ઢગલા જેવો ભાસે. આ થયાં ભગવંતનો રૂપાતિશય. પણ દેવકૃત અતિશયોમાં એક રાતિશય છે : સમવસરણમાં ભગવંતની ચતુર્મુખતા. સમવસરણમાં પૂર્વ દિશામાં ભગવંતનું મૂળરૂપ હોય છે અને બાકીની ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ દેવતાઓ વિકુર્વે છે. પૂર્વે આપણે જોયું કે સર્વ દેવતાઓ મળીને પણ ભગવંતના પગના એક અંગૂઠા જેવો એક અંગૂઠો પણ ન વિકુર્તી શકે, જ્યારે એક જ દેવતા ભગવંતનાં સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આમાં આપણને દેવકૃત અતિશયોનું રહસ્ય મળી આવે છે. ભલે રચે દેવતાઓ પણ અતિશય (પ્રભાવ) તો - વી. . પ્ર. 5, શ્લો, 9. અવે. 1. સર્વેડપ પ્રતિરાતિશવિશેષા: | 2. સત્રસુરા ન રૂd, ગંદુપમનવં વિજ્ઞા નિપાલં પરું, ન સોદા તં ગાતો . - આવ. હરિ. નિયુક્તિ ગાથા-૫૩૯. અરિહંતના અતિશયો પપ